જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫
ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ “શહીદ દિવસ” નિમિત્તે અત્રે જામનગર હાઈવે પર આવેલા વાછરા વાવ મંદિર ખાતે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સાહિત્યની વાણી દ્વારા અમર શહીદોને સ્મરણાંજલિના ઉમદા આશયથી શહીદોના અમૂલ્ય બલિદાનને યાદગાર બનાવવા હરદાસભાઈ હેભાભાઈ બેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહીદ દિન નિમિત્તે રવિવારે રાત્રે 9 વાગ્યે ભવ્ય લોક ડાયરાનું આ આયોજન થયું છે.
ત્યારે દેશભક્તિના આ કાર્યક્રમમાં સહભાગી થવા આયોજકો વતી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા નગરજનો તેમજ સાહિત્ય પ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)