
ફોટા
વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૩
ભાવનગરના જાણીતા ચિત્રકાર પ્રા. ડો. ઉષાબહેન પાઠક ચિત્રોનું પ્રદર્શન શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે ત્રણ દિવસ માટે યોજાયું હતું. પ્રદર્શન ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાણીતા ચિત્રકાર રમણીકભાઈ ઝાપડિયા ,ડૉ. મહેન્દ્રસિંહ પરમાર , નિશિતભાઈ મહેતા, ગીરીશભાઈ શેઠ, રાજુભાઈ પારેખ, ડો. જીજ્ઞાબેન, ડો. ધારાબેન, ડો. ચેતનભાઇ, ડો. ભીમાણી, દેવયાનીબેન પંડિત ,અંજલીબેન ભીમાણી ,અલકાબેન પટેલ, નીતાબેન ત્રિવેદી ,
ઈન્દાબહેન માનભાઈ ભટ્ટ સુ. ભાર્ગવીબહેન ભટ્ટ ,ડૉ. અશોકભાઈ પટેલ, પ્રા. શ્રીમતી નિષ્ઠાબહેન વિમલભાઈ વ્યાસ વિગેરે નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ચિત્ર પ્રદર્શન નિહારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ચિત્ર પ્રદર્શન ની સફળતા માટે સતીશ સમનારાયણ પાઠક અને ઊર્મિલા સતીશ પાઠક વગેરે એ જહેમત ઉઠાવી હતી.આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની સહાયથી યોજવામાં આવ્યું હતું.