જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં આવતીકાલે રવિવારે સવારે 9 થી 12:30 વાગ્યા સુધી અત્રે શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, ડિવાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ – જામનગર તથા વિશ્વ હિન્દુ પરિષદ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા આ સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા તજજ્ઞો દ્વારા ડાયાબિટીસ, બીપી, સાંધાના દુખાવા ચામડીના રોગો વિગેરેનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)