Headlines

જન્મદિવસ શુભેચ્છા: દેવભૂમિ દ્વારકા ભાજપના જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા આરંભડા ગામે તા. 11 એપ્રિલના રોજ જન્મેલા યુવરાજસિંહ બનેસિંહ વાઢેર નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છ ના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી. ત્યાર બાદ ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી, જામનગર જિલ્લા યુવા ભાજપના મંત્રી તેમજ ઓખા શહેર ભાજપના…

Read More

કલ્યાણપુરની પરિણીતાને સાસરીયાઓનો સિતમ

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ એકલવાયા જીવનથી કંટાળીને જામગઢકાના યુવાને જિંદગી ટૂંકાવી        કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા મહેશનાથ સુરેશનાથ ગોસાઈ નામના 25 વર્ષના યુવાનના લગ્ન થયા ન હતા. આ વચ્ચે તે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બીમાર રહેતા હોય અને આ રીતના એકલવાયા જીવનથી કંટાળીને તેમણે ગત તારીખ 1 ના રોજ…

Read More

ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

– અઢી વીઘા જમીન પર ફર્યું સરકારી બુલડોઝર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫      ગુજરાતમાં દારૂની પ્રવૃત્તિ કરનારા શખ્સો દ્વારા દબાણ કરીને તેની ધંધાકીય પ્રવૃત્તિઓ ધમ ધમી રહી છે તે હટાવવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી…

Read More

ખંભાળિયામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બુધવારે ભરતી મેળો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા બુધવાર તારીખ 9 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.         આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત…

Read More

ખંભાળિયામાં રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત

– ઓવરબ્રિજ, મોડલ ફાયર સ્ટેશન, રસ્તાઓ સહિતના કામોનું ખાતમુહૂર્ત – – શહેરીજનોની સવલતોમાં થશે વધારો –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫     ખંભાળિયાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારના અંદાજિત રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીંના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તેના…

Read More

કલ્યાણપુરના નગડીયા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: પિતા-પુત્ર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા કરસન કરણાભાઈ અમર મેર (ઉ.વ. 64) અને તેના પુત્ર રામદે ઉર્ફે જયેશ કરસન કરણાભાઈ દ્વારા પોતાની માલિકીની વાડીની ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ સ્થળે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.         આ દરોડા દરમ્યાન પોલીસે…

Read More

ખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫     ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કલ્યાણપુર તાલુકાના નવનિયુકત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દેવશીભાઈ કરમુરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઇ કરમુર, બી.આર.સી. પી.એસ. રાણા,જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, કે.ની. રામજીભાઈ,…

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. દોઢ લાખની કિંમતના ફોન મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫      ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્નની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        આગામી સમયમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે રાજ્યમાં – વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે. જે સમયગાળા દરમ્યાન બાળલગ્નો થતાં અટકાવવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.        સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા,…

Read More

Fire in Cemetery: ખંભાળિયાના ભાડથર ગામે સ્મશાનના લાકડામાં ભભૂકી ઉઠી આગ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આજરોજ બપોરે સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડામાં એકાએક આગ ભભૂકી ઉઠતા આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવીને…

Read More