Sunday June 22, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં […]

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ […]

ખંભાળિયાની પ્રેસિડેન્ટ શાળામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા       ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારોના જ્ઞાન સાથે શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર શૈક્ષણિક સંસ્થા ખંભાળિયાની “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” માં દેવોના દેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.          આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓનો ભગવાન ભોળાનાથ, માતા પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજીના […]

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામ ખંભાળિયા         દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે માર્ચ તથા એપ્રિલ માસ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.      જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ […]

ભગવાનની ચોરી, પોલીસનું ડિટેકશન: હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે

ભગવાનની ચોરી પોલીસ નું ડિટેકશન હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે – યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી ! – – બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ- કુંજન રાડિયા. જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ […]

કાના સરકાર: દ્વારકાધીશના આંગણે ફૂલડોલ મહોત્સવ ઉજવવા માટે કલેકટર કચેરીમાં ખાસ બેઠક મળી

દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય રીતે યોજાશે ફુલડોલ ઉત્સવ: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫        દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની […]

ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ

ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અવિરત છે. ત્યારે ગઈકાલે અહીંની મેઈન બજારમાં બે મજબૂત આખલાઓ વચ્ચે ખેલાયેલા યુદ્ધથી આ વિસ્તારના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.         ખંભાળિયા શહેરની […]

ભાણવડ નજીક છ વર્ષ પૂર્વે ઝડપાયેલી અનઅધિકૃત લાઈમ સ્ટોન ચોરી પ્રકરણમાં આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ

– સજા સાથે રૂ. 60,000 નો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા […]

હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે

– સાબરકાંઠાની યુવતીને સપનું આવ્યું હતું કે દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે અને… કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન […]

કનૈયો બન્યો મહાદેવ: શિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકાધીશને શિવસ્વરૂપ શૃંગાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫        મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શિવ સ્વરૂપના વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.          શિવજીના વિશેષ વાઘા સાથેનો શૃંગાર ઠાકોરજીને કરાયો હતો. ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ તેમજ ઓનલાઇનના માધ્યમથી લાખો ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લઈ, ભાવવિભોર […]

Back to Top