ખંભાળિયામાં આજે સંગીત વાત્સલ્ય કાર્યક્રમ: સદભાવના ટ્રસ્ટનું સુંદર આયોજન

– જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાહિત્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         ખંભાળિયા શહેરમાં રંગમંચના અનેક કલા પ્રેમીઓ વસવાટ કરે છે. પરંતુ શહેરમાં ખાસ કોઈ સંગીત – કલાની પ્રવૃત્તિઓ થતી નથી. આ વચ્ચે ખંભાળિયાની જનતાનો કલાપ્રેમ સંતોષવાના…

Read More

શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય તથા 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા,…

Read More

વેરાવળ ખાતે સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં યોજાશે

– ઇચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓ તા. 15 જાન્યુ. સુધીમાં અરજી કરવી –  જામ ખંભાળિયા, તા. ૦૫: રાજયના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષ 10 દિવસની સમુદ્ર તરણ…

Read More

મકરસંક્રાંતિ પર્વ સલામતી સાથે ઉજવવા પીજીવીસીએલનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં ઉતરાયણના આનંદનો પર્વ થોડી બેજવાબદારીની પરિસ્થિતિમાં હાલાકી તેમજ દુઃખદ ન બની રહે તે હેતુથી સાવચેતી કેળવવા ખંભાળિયા પીજીવીસીએલ તંત્ર દ્વારા તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: અમૃતલાલ પોપટલાલ સામાણી (અમુભાઈ બકાલી) તે નીરજભાઈ અને નિલેશભાઈના પિતાશ્રી તથા આયુષના દાદા તેમજ લક્ષ્મીદાસ જાદવજી મશરૂ (સલાયા વારા) ના જમાઈ તા. 13 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરૂવાર તા. 15 ના રોજ સાંજે 4 થી 4:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે…

Read More

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન ખફી નામના 40 વર્ષના સુમરા યુવાનને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક…

Read More

કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર

સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)        સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…

Read More

દ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬        મધ્ય પ્રદેશ રાજ્યના મંદસોર જિલ્લાના લાનપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં રહેતા રામકરણ જગનાથ મેઘવાલ નામના 38 વર્ષના સાધુ યુવાન છેલ્લા આશરે બે માસથી માનસિક રીતે અસ્વસ્થ હોય, અને પાગલ જેવી સ્થિતિમાં તેમણે ગોમતી ઘાટ ખાતે રાત્રીના સમયે સ્નાન કરવા ગયો હતો. જેના કારણે…

Read More

ખંભાળિયામાં આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાસોત્સવ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ આવતીકાલે રવિવાર તા. 4 ના રોજ સાંજે ચાર વાગ્યે ઔદીચ્ય ગોહિલ બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે.         સમાજમાં વિવિધ વિષયમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનારા કર્મયોગીઓનું સન્માન…

Read More

ખંભાળિયા આઈ.એમ.એ.ના હોદ્દેદારોની વરણી: પ્રમુખ તરીકે હમીર કાંબરીયાને જવાબદારી

– જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ખંભાળિયાના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની નિયુક્તિ માટે તાજેતરમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે ડો. હમીરભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. પ્રકાશ ધારવીયા, સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. નરેશ દેથરીયા અને ટ્રેઝરર તરીકે ડો. કમલેશ વાળાની સર્વાનુમતે નિયુક્તિ…

Read More