Saturday June 21, 2025

જન્મદિન શુભેચ્છા : ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી અને સક્રિય રાજકીય આગેવાન જયેશભાઈ એમ. ગોકાણીનો આજે 48 મો જન્મદિવસ છે. છેલ્લા આશરે અઢી દાયકાથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે સક્રિય રહેલા જયેશભાઈ નગરપાલિકાના ઈતિહાસમાં સૌપ્રથમ સૌથી નાની વયના અને સફળ પ્રમુખ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે.        ખંભાળિયા ઉપરાંત જામનગર, રાજકોટ અને અમદાવાદમાં પણ વ્યવસાયિક […]

દ્વારકામાં જલ, થલ રક્ષા અંતર્ગત સૈન્ય કસરત યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫      ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા બેટ દ્વારકામાં “EX જલ થલ રક્ષા 2025” નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કસરત આયોજિત કરવામાં આવી હતી. આ કસરતમાં આર્મીની અમદાવાદ આધારિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન, જામનગર આધારિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, કોસ્ટ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 50 ટકા શાંતિપૂર્ણ મતદાન

– ભરાણા તથા જુવાનપુરની પેટા ચૂંટણીમાં અનુક્રમે 43 અને 36 ટકા મતદાન – સલાયામાં EVM બગડતા તંત્રની દોડધામ – કુંજન રાડિયા,જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫          ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં આજરોજ એકંદરે 50 ટકા […]

અવસાન નોંધ : જામ ખંભાળિયા: બોડા

જામ ખંભાળિયા: સ્વ. ઇશ્વરલાલ શાંતિલાલ બોડાના ધર્મ પત્ની દેવીબેન (ઉ.વ. 72) તે મનીષભાઈ, સંદિપભાઈ, હિરેનભાઈ તેમજ હર્ષા કૂલદિપભાઈ વાસુના માતુશ્રી તા. 15 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 17 ના રોજ સાંજે 4:30 થી 5 ભાઈઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવ મંદીરે રાખેલ છે.

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા દ્વારા નીલગાયનું રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત હોવાથી સંસ્થાના કાર્યકર દેસુરભાઈ ધમા, હિરેન ગોસ્વામી, ફોરેસ્ટ વિભાગના ગિરીશ ડામોર અને ડો. રાજકુમાર જાદવ તથા પિંડારિયા દ્વારા નીલ ગાયને […]

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદુક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગલ વિસ્તારમાં શિકાર અર્થે થઈ રહેલા દેવા ભીખુભાઈ વાઘેલા (રહે. એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, શાંતિ નિકેતન વાસ) ને પોલીસે પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની […]

પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે ખંભાળિયામાં એબીવીપીનું આંદોલન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વર્ષ 2024-25 વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગને લઇને ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા અહીંના નગર ગેઈટ વિસ્તારમાં […]

શુભ વિવાહ ::: ચિ. રિધ્ધી * કિશન :: ખંભાળિયાના ઘાવડા પરિવારના દ્વારે લગ્નોત્સવ

જામ ખંભાળિયા       જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી વનરાજભાઈ માનસંગભાઈ ઘાવડાની સુપુત્રી તેમજ અગ્રણી ઉપેન્દ્રભાઈ માનસંગભાઈ ઘાવડાની ભત્રીજી ચિ. રિધ્ધીના શુભ લગ્ન કંચનપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી જેમલભાઈ મેરૂભાઈ ઢાંઢના સુપુત્ર ચિ. કિશન સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

ખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મ પ્રકરણના આરોપીને વીસ વર્ષની સખત કેદ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫            ખંભાળિયામાં રહેતા રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ હરિભાઈ કોટક નામના યુવાને થોડા સમય પૂર્વે માનસિક રીતે સ્વસ્થ એવી એક સગીરા પર અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ ગુજારવા સંદર્ભેની ફરિયાદ જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ધ ગર્લ્સ વિભાગના અધિક્ષક દ્વારા નોંધાવવામાં આવી હતી.           આ […]

દ્વારકા જિલ્લામાં યોજાનારી ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે કતલની રાત: રાજકીય પક્ષોમાં દોડધામ: દ્વારકા, ભાણવડ ભાજપ કબજે કરશે: સલાયામાં ખેંચતાણ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ તથા દ્વારકા નગરપાલિકાની આવતીકાલે રવિવારે યોજાયેલી ચૂંટણી માટેના મતદાન સંદર્ભે આજે શનિવારે કતલની રાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તમામ વિસ્તારમાં રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા રાત્રી જાગરણ કરીને પણ મતદારોને મનાવવા તથા આકર્ષવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.   […]

Back to Top