Headlines

રૂપમોરાના ભગીરથ યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘર અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫         હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માત્ર પાણીના અભાવે ડી-હાઇડ્રેશનના કારણે કેટલાય પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે અને પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના શ્રી ભગીરથ યુવા ગ્રુપના યુવાનો દ્વારા આ અબોલ જીવોની મદદ અર્થે આગળ આવી અને રૂપામોરા ગામની…

Read More

સફેદ ડુંગળીમાં સરકાર ખેડૂતોને માટે સહાય પેકેજ જાહેર કરે: આપ દ્વારા રજૂઆત

– ટેકાના ભાવે ચણાની ખરીદી ઓછામાં ઓછી 200 મણ કરવા માંગ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને ચણાની ટેકાના ભાવે ખરીદી, સફેદ ડુંગળીમાં સહાય તેમજ સિંચાઈના પાણી સહિતના મુદ્દે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતી વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.        …

Read More

પહેલગામ આતંકવાદી હુમલાને વખોડતા ખંભાળિયા સુન્ની મુસ્લિમ જમાત: કડક પગલાની માંગ

– જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા છે. આટલું જ નહીં, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઘાતકી કૃત્યને ખંભાળિયાના સમસ્ત સુની મુસ્લિમ જમાતના લોકોએ સખત શબ્દોમાં વખોડીને વિરોધ કર્યો છે. …

Read More

નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫         કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે કારગીલ બંદરથી દરિયાની ખારી રેતી ભરીને કોઈ શખ્સ પસાર થતો હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવેલી વોચમાં નાવદ્રા…

Read More

ખંભાળિયા સહિત દેવભૂમિ જિલ્લાની શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર અર્પણ

– જિલ્લાની 102 શાળાઓને મળ્યો લાભ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવી દિલ્હીની સંસ્થાના સહયોગથી વોટર કુલર અને વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવ્યા છે.        નોયડા (નવી દિલ્હી) સ્થિત વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે જામનગર સંસદીય વિસ્તારમાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા વિદેશી નાગરિકો અંગે પોલીસનું વ્યાપક ચેકિંગ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫          પહેલગામ ખાતે તાજેતરમાં કરવામાં આવેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિદેશી નાગરિકો અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Read More

નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.         અન્ય એક બનાવમાં ગીર સોમનાથ…

Read More

ઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળઓખા મંડળના જળ, જમીન, જંગલ, જળ સ્તર અને દરિયામાં પ્રદૂષણ અટકાવવાની માંગઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળ

– ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર –  – સરકાર સામે ભૂંગળા વગાડી, તાળી, થાળી વગાડી અનોખો કાર્યક્રમ યોજાયો –  – ખાનગી કંપની દ્વારા જમીન અને દરિયો પ્રદુષિત કરાતા હોવાની ફરિયાદ કુંજન રાડિયા –જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫         ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના…

Read More

હરીપર નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: સલાયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મદીના ચોક ખાતે રહેતા અલ્તાફભાઈ સલીમભાઈ સૈયદ નામના 24 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે રાત્રિના સમયે તેમના મિત્ર હાસમ ઉર્ફે સાહેલ રજાકભાઈ મોખા (ઉ.વ. 21, રહે. સલાયા) સાથે મોટરસાયકલ પર બેસીને સલાયાથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર હરીપર ગામ…

Read More

ખંભાળિયાની નાલંદા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તેમજ વિદાય સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫        ખંભાળિયામાં આવેલી નાલંદા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ અન્ય પ્રસંગ અનેક કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત વિષયને અનુરૂપ વક્તવ્ય પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ સુંદર શૈક્ષણિક નાટ્યકૃતિઓ પણ રજૂ કરી હતી….

Read More