Headlines

એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૬       અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રાંધણ ગેસની વ્યાપક અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટ ખાતે એલ.પી.જી. ગેસના વિશાળ જથ્થા સાથે ગઈકાલે એક જહાજ લાંગર્યા બાદ આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદર ખાતે પણ “નંદાદેવી” જહાજ મારફતે આશરે 47,000 મેટ્રિક ટન…

Read More

બેહ ગામે ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી : મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર

– મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬      ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા…

Read More

શુભ વિવાહ : ખંભાળિયાના સ્વ. કિરીટભાઈ તન્નાની સુપુત્રીના શુભ લગ્ન 

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૬ :: ચિ. સેજલ * ચિ. રવિ ::      જામખંભાળિયા નિવાસી સ્વ. કિરીટભાઈ જમનાદાસ તન્ના તથા ગં.સ્વ. બીનાબેન તન્નાની લાડલી સુપુત્રી ચિ. સેજલના શુભ લગ્ન જામનગર નિવાસી શ્રીમતી ચેતનાબેન તથા શ્રી દિપકભાઈ ખીમજીભાઈ કક્કડના સુપુત્ર ચિ. રવિ સાથે શનિવાર તારીખ 14-03-2026 ના શુભ દિને જામ ખંભાળિયાની વી.ડી. બરછા નવી લોહાણા મહાજન…

Read More

કુરંગા સરકારી શાળાના મહિલા આચાર્યાને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

નારી તું નારાયણી… જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬        આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતા સન્માનિત મહિલાઓનો બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા મંડળ તાલુકામાંથી શિક્ષક તરીકે એકમાત્ર કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી.    …

Read More

કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે ગત તા. 8 માર્ચથી તા. 9 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ…

Read More

પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

– રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો ઉત્તર – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા)        કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી…

Read More

રાજકોટના નવનિયુક્ત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

– જગત મંદિરે શીશ ઝુકાવ્યું: બોકસાઈટ માઈનીંગ અંગે સૂચનાઓ આપી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬       રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાની આ મુલાકાત દરમિયાન તેઓએ દ્વારકાના જગત મંદિરે ખાતે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમને અહીં મંદિર…

Read More

સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે – નવી અને નવીનીકરણીય ઊર્જા સંદર્ભે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       ભારત સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિ – તીર્થ પુરોહિતો વચ્ચેની મડાગાંઠનો ઉકેલ લાવવા બ્રહ્મસમાજના અગ્રણીની માંગ : ત્રણ માસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬       બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને ત્રણ માસ જેટલો સમય થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા અવાર નવાર વિરોધ બાદ સ્થિતિ યથાવત રહેતા યજમાનવૃત્તિ સાથે જોડાયેલા બ્રાહ્મણોનો મંદિરમાં યજમાનવૃત્તિ સાથે જોડાયેલ અહીંના બ્રાહ્મણોની હાલત કફોડી બની છે. બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ…

Read More

ખંભાળિયામાં મહિલા દિન નિમિતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં મહિલાઓને કરાયા પુરસ્કૃત 

– જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ વખત પ્રેરણારૂપ આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન મોટાણી અને મહામંત્રી લીલાબેન લેહરુ તથા દિપ્તીબેન કણજારીયાના વડપણ હેઠળ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે “મહિલા સન્માન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં…

Read More