Headlines

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૬       રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનો હેતુ દરિયાઈ તેમ જ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ સંજોગોમાં દરિયાકિનારાના ગામોમાં રહેતા લોકો પણ…

Read More

“જમવાના પૈસા શું કામ માંગે છે” કહીને ભાટિયાના યુવાન પર પાઇપ વડે હુમલો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ ખંભાળિયાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી       ખંભાળિયામાં એસ.ટી. ડેપો પાસે રહેતા ઈસ્માઈલભાઈ અનવરભાઈ ભગાડ નામના 31 વર્ષના યુવાને બુધવાર તા. 18 ના રોજ રાત્રિના સમયે પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. જે અંગે મૃતકના મોટાભાઈ યાસીનભાઈ અનવરભાઈ…

Read More

​નવારતનપરમાં તંત્રની ઘોર બેદરકારી: સ્ટ્રીટ લાઈટ માટે થાંભલા નાખવાનું કામ ચાલુ હતું ત્યારે મોત બનીને ત્રાટક્યો વીજપોલ, જાનૈયાઓનો આબાદ બચાવ! : બાઈકનો કડૂસલો બોલી ગયો !

​નવારતનપર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ વેરતી કામગીરી સામે આવી રહી છે. ગ્રામ પંચાયત અને PGVCLના પાપે આજે એક મોટી જાનહાનિ થતા રહી ગઈ છે. સરકારી તંત્રની ‘લોલમલોલ’ નીતિને કારણે હજુ હમણાં જ નંખાયેલો વીજળીનો થાંભલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે સરપંચ…

Read More

અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણી દ્વારા રૂ. 27.50 કરોડનું દાન

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું. તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન કર્યું હતું.      અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા અને નિઃશુલ્ક અન્નસેવાને મજબૂત…

Read More

પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારા નજીક શિવસેના દ્વારા શિવાજી જયંતીની શાનદાર ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં શિવાજી મહારાજની આ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ખાસ કરીને જીલ્લા શિવસેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજે મોગલ સામ્રાજ્યને ટક્કર આપી હતી તમામ હિંદુઓના હ્રદયમાં શિવાજી મહારાજનું અનેરૂ સ્થાન રહેલું છે. શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી…

Read More

પીપળીયા પુલ પાસે લથડીયા‌‌ ખાતા કુડાના બે મહાનુભાવો ઝડપાયા

ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં બે શખ્સોને ઝડપી પાડ્યા ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલી હાલતમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમ જ્યારે વરતેજ અને કુંડા ગામના રોડ પર તપાસમાં હતી, ત્યારે આ શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ​ઝડપાયેલા…

Read More

ભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્ક પર પોલીસ ના દરોડા

સ્પા સેન્ટરો પર દરોડા પાડી​ 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૯ ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપારના ધંધાઓ પર ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. એસપી નિતેશ પાંડેની કડક સૂચના બાદ નીલમબાગ પોલીસની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 4…

Read More

દ્વારકાના ખંભાળિયામાં પોશ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬         ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા રાવલિયા પાડાથી પોસ એવી રામનાથ સોસાયટી વિસ્તારમાં જતા માર્ગે છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે છલકાયેલી રહેતી ગટરોથી આ વિસ્તારના રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.        ખંભાળિયાના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રાવલીયા પાડામાંથી કલ્યાણ બાગ અને…

Read More

ગુજરાત સાહિત્ય અકાદમી અને  ખડસલિયા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી

વિપુલ હિરાણી  ભાવનગર તા.19 ગુજરાત સાહિત્ય અકાદમી  તરફથી દર વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે તેમાં એક સાથે સાત દિવસમાં વિવિધ સંસ્થાઓમાં ફુલ 550 થી ઉપર કાર્યક્રમ અકાદમીના સહયોગથી થાય છે તેમાં સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં  સુપ્રસિદ્ધ કવિ સંચાલક અને લેખક  હરદ્વાર ગોસ્વામીનું અને  લલિત ખંભાયાતાનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું તેમાં હરદ્વાર ગોસ્વામી એ…

Read More

ભાવનગરના વરતેજ ચંદ્રજ્યોત ગ્રુપ દ્વારા ‘મોજ મસ્તી મજા કાર્યક્રમ યોજાયો 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ ભાવનગરમાં તાજેતરમાં તા. ૧૫/૨/૨૦૨૬ના રોજ વરતેજ સ્થિત ચંદ્રજ્યોત ગ્રુપ  દ્વારા વાર્ષિક મહોત્સવ ‘મોજ મસ્તી મજા-૫’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહેમાનોનું કુમકુમ તિલક અને સ્મરણીય પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ડાન્સ, નાટક અને ભાવુક સ્પીચ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ‘રંગોત્સવ સેલિબ્રેશન’ માં વિજેતાઓને મેડલ અને ટ્રોફી…

Read More