Headlines

કૂવો ગાળતા માથા પર પથ્થર પડ્યો: નાના આંબલાના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬    ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર…

Read More

ભાવનગર જીલ્લાના પીપરાળા ગામે થયેલી હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદની સજા અદાલતે ફટકારી

વિપુલ હિરાણી  ભાવનગર તા. ૯ દોઢ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઈ ઉપર જ તલવાર સહિતના હથીયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચી મોત નિપજાવી નાખતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો આજરોજ ભાવનગરના…

Read More

આરંભડા વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬        ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા અને ધર્મદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરંભડા ગામમાં ટાટા કંપનીના મીઠાના કયારાની આગળ બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશ…

Read More

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂ. અડધા લાખના મુદ્દામાલની ચોરી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અહીં રાખવામાં આવેલી રૂ. 40 હજારની કિંમતની વોટર પંપની ઇલેક્ટ્રીક મોટર, રૂ. 5,000 ની કિંમતની સાદી મોટર તથા રૂ. 3,000 ની કિંમતના…

Read More

નર્મદા પાઇપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પોરબંદરમાં પાણી પુરવઠો ૧૧ માર્ચ સુધી નહીંવત અપાશે

પોરબંદર, તા. ૦૯/૦૩/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાના સર્વે નાગરિકોને જાણ કરતા જણાવવામાં આવે છે કે, રાણાવાવ કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ એન.સી.–૩૮ નર્મદા પાઈપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે પાણીનું પમ્પીંગ સ્ટેશન બંધ છે, જે કારણે નર્મદા પાઈપલાઈન એન.સી.–૩૮ નું પાણી પમ્પીંગ થઈ શકે તેમ નથી. જેથી પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારોમાં તા. ૦૯-૦૩-૨૦૨૬ થી ૧૧-૦૩-૨૦૨૬ કુલ ત્રણ (૩) દિવસ…

Read More

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેરના હર્ષદપુર વિસ્તારમાં ખાણ પાસે આવેલી વેલ અને કચરાથી ભરેલી કીચડભરી ખાડીમાં એક અંધ શ્વાન પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.        કાર્યકરો દ્વારા લાંબી પ્રતીક્ષા…

Read More

ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની જીતથી ખંભાળિયામાં જશ્નનો માહોલ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ખૂબ જ રસાકસીભરી યોજાઈ ગયેલી ટી- 20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને નોંધપાત્ર રનથી હરાવીને વિશ્વ કપ કબજે કરતા સમગ્ર દેશ સાથે ખંભાળિયામાં પણ ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.       સમગ્ર દેશમાં ઉત્તેજનાસભર બની ગયેલા ગઈકાલના ભારત – ન્યૂઝીલેન્ડ…

Read More

ખંભાળિયામાં બુધવારે હાપા લાખાસર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       ખંભાળિયા ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ બુધવાર તા. 11 ના રોજ હાપા લખાસર સ્થિત આહેર સમાજ ખાતે યોજાશે. જેમાં આહેર સિંહણ, વડાલીયા સિંહણ, કાકાભાઈ સિંહણ, સખપર, નાગડા, દાંતા, કંચનપુર, બજાણા, આંબરડી, આંબરડી દેવરિયા, પીર લાખાસર, હાપા લાખાસર, કંડોરણા, ભટ્ટગામ, સુમરા તરઘરી અને મહાદેવીયા ગામોના આ સેવા સેતુમાં સવારના…

Read More

પોરબંદર જિલ્લાના રાણાવડવાળા ગામ ખાતે ૧૩ માર્ચે ‘સેવા સેતુ કાર્યક્રમ ૨.૦’ યોજાશે

સેવા સેતુ કાર્યક્રમમાં રાણાવડવાળા,કેરાળા, ખીરસરા, બાપોદર, મોકર, ભોદ, અણીયારી, દોલતગઢ, અમરદડ અને આદિતપરાના ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ અપાશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનતાને સરકારી યોજનાઓના લાભ અને વિવિધ સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા હેતુથી પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામખાતે તા.૧૩/૦૩/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦…

Read More

ભાવનગર માં રૂપાણી સર્કલ પાસે પક્ષીઓ માટે નિ:શુલ્ક કુંડા વિતરણ 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૮ ભાવનગર માં ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણનું  કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે તા. 8 માર્ચ 2026 ના રોજ ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણીના…

Read More