લોકગાયિકા ગીતાબેન રબારી પહોંચ્યા દ્વારકા ધામ; નાગેશ્વર અને દ્વારકાધીશજીના કર્યા દર્શન
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬ ગુજરાતની જાણીતી લોકગાયિકા ગીતા રબારીએ દેવભૂમિ દ્વારકાની ધાર્મિક મુલાકાત લઈ પવિત્ર યાત્રાધામના દર્શન કર્યા હતા. દ્વારકા આગમન દરમિયાન તેમણે પ્રથમ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમણે દ્વારકાધીશ મંદિરમાં જઈ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. …
