Sunday June 22, 2025

ઓખાના યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫         ઓખામાં બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ અબ્દુલભાઈ મકવા નામના 42 વર્ષના મુસ્લિમ યુવાન મંગળવારે તેમની કટલેરીની લારી લઈને જઈ રહ્યા હતા, ત્યારે મદની ચોકમાં સવાભા સાંંચલભા અને ઈમરાન ઉર્ફે ટમેટા નામના બે શખ્સોએ તેમની પાસે આવી, કોઈ બાબતે બોલાચાલી કરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. […]

કોરીડોર પ્રોજેકટ અંતર્ગત દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર તીર્થક્ષેત્રનો ત્રણ તબક્કે થશે વિકાસ: ભગવાન શ્રી કૃષ્ણની 108 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાશે

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫            ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દ્વારકા યાત્રાધામનો વિકાસ કરવા આગામી સમયમાં કોરીડોર પ્રોજેકટની શરૂઆત થશે. જેમાં ત્રણ તબક્કે વિકાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં જગત મંદિરથી રૂક્ષ્મણી મંદિર સુધીના પ્રસ્તાવિત માર્ગનો વિકાસ કરાશે. જેમાં રૂ. 138 કરોડના ખર્ચે સમુદ્રની અંદર ડૂબી […]

ખંભાળિયામાં પાલિકા તંત્ર દ્વારા મિલકતોની થશે ચતુર્વર્ષિય આકારણી: કામગીરીમાં સહયોગ આપવા નગરજનોને તંત્રનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓની મિલકત સંદર્ભે સરકારના નિયમ મુજબ ચતુર્વર્ષિય આકારણી કરવામાં આવનાર છે. આથી તમામ મિલકતોની હાથ ધરાનાર આ ચતુર્વર્ષિય આકારણીની કામગીરીમાં રોકાયેલા સરવેની ટીમના કર્મચારીઓ તેમજ અધિકારીઓને નગરજનો દ્વારા તેમની મિલકતની યાદી તથા જરૂરિયાત મુજબના મિલકતોના આધાર-પુરાવા માટે જે-તે દુકાન, રહેણાંક કે ઓફિસમાં […]

દ્વારકા તાલુકાના મુળવાસર ગામે હત્યાના કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા: રૂ. 31 હજારનો દંડ ફટકારતી દ્વારકાની અદાલત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેક (ઉ.વ. 36) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં તા. 21-05-2020 ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મુળવાસર ગામે રહેતા આરોપીઓ કરશનભા જેસાભા ભઠડ, અર્જુનભા કરશનભા ભઠડ, વેજાભા ખેંગારભા ભઠડ તથા કાંયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સો દ્વારા […]

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા શનિવારે હઠીલા રોગોના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા.૧૩-૦૨-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત જુના અને હઠીલા રોગોથી પીડિત દર્દીઓ માટે ખાસ કેમ્પનું આયોજન આગામી શનિવાર તા. 15 ના રોજ કરવામાં આવ્યું છે.          અત્રે નવાપરા, રોડ નં. 17 ખાતે આવેલી શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ […]

માઘ પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો

હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યુ જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. આજરોજ માઘ પૂર્ણિમા નિમિત્તે હજારો ભાવિકોએ વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.         ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન બાદ છપ્પન સીડીએ […]

દ્વારકાના રાંદલ ધામ ખાતે બીજી માર્ચે સમૂહ લોટાનો ભવ્ય ધર્મોત્સવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫          દ્વારકાના કકલાસ કુંડ નજીક આવેલા શ્રી રાંદલ ધામ ખાતે આગામી તા. બીજી માર્ચ ને રવિવારના રોજ રાંદલ માતાજીના સમૂહ લોટાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવમાં અત્યાર સુધીમાં 90 જેટલા રાંદલ લોટા તેડવાના યજમાનોના નામ નોંધાઈ ચુકયા છે.            રાંદલ માતાજીના લોટા […]

દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા અદ્યતન સુવિધા સાથેની લોહાણા મહાજન વાડીનું થશે નિર્માણ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫          દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિની જર્જરીત બની ગયેલી લોહાણા મહાજન વાડીના નવનિર્માણ માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જુની વાડીને સંપુર્ણ પણે તોડી પાડવામાં આવી છે. નવી મહાજન વાડીમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોર સહિતની અદ્યતન સુવિધાસભર સવલતો જ્ઞાતિજનોને ઉપલબ્ધ થશે.   […]

ભીમરાણા ઓવરબ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા ઈરફાનભાઈ મુસાભાઈ વારાણી નામના 32 વર્ષના મુસ્લિમ મીર યુવાન મંગળવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 વી. 9092 નંબરના ટ્રકને લઈને જઈ રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી […]

Back to Top