જામ ખંભાળિયા: ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભગવતપ્રસાદ ગીરજાશંકર વ્યાસના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 73) તે સ્વ. પરેશભાઈ તેમજ નીતાબેન દિનેશકુમાર ગોહેલ અને નેહલબેન રાજનકુમાર ત્રિવેદી (ન્યુઝીલેન્ડ)ના માતુશ્રી તેમજ જીત પરેશભાઈ વ્યાસ (અમદાવાદ)ના દાદીમાં તા. 12- 02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 13- 02- 2025 ના રોજ સાંજે 4:30 થી 5 […]
Tag: DWARKA
ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બે ની શોધખોળ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં […]
મીઠાપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: એકનું મૃત્યુ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલ પાસે ગતરાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા એક યુવાનનું લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે […]
ખંભાળિયા પંથકમાં સગીરાની છેડતી તેમજ પરિવારજનો પર હુમલા પ્રકરણના ચાર આરોપીઓ ઝબ્બે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતી […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગર નીકળેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દંડાયા
– 47 કેસમાં રૂપિયા 23,500 નો દંડ વસુલાયો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ આજરોજ યોજવામાં આવી હતી. દેવભૂમિ […]
અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) મુકેશ અંબાણીએ મંગળવારે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મુકેશભાઈ અંબાણીએ તેમના માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી […]
કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલ લુટમાં પોરબંદર જિલ્લાના બે સહિત 3 આરોપીઓ ઝબ્બે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫ કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા : સવજાણી
જામ ખંભાળિયા: લક્ષ્મીબેન જમનાદાસ સવજાણી (ઉ.વ. 88) તે સ્વ. અજયભાઈ, ચેતનભાઈ, લાભુબેન પ્રવીણભાઈ બદીયાણી, રસીલાબેન કાંતિલાલ રાયચુરા, રેખાબેન નવલકુમાર રાયચુરા અને મયુરીબેન પ્રવીણભાઈ ગણાત્રાના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરુવાર તા. 13 ના રોજ સાંજે 4 થી 4:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા […]
પુત્રના મૃત્યુ બાદ ગુમસુમ રહેતા યુવાને જિંદગી ટૂંકાવી: ભરાણા ગામનો બનાવ
જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક ભગુભાનો પુત્ર આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હોય, જેના કારણે તેઓ કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા. આ […]
સુરજકરાડીનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
જામ ખંભાળિયા ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધવલ અશોકભાઈ અરીલા નામના 25 વર્ષના શખ્સ દ્વારા તેના કબજા હેઠળના ખંઢેર મકાનમાં વેચાણ અર્થે લઈને છુપાવી રાખવામાં આવેલા રૂપિયા 75,795 ની કિંમતના 111 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. દારૂનો આ […]
