Headlines

દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય…

Read More

બગદાણા: બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ ખાતે અયોધ્યા રામમંદિરની બીજી વર્ષગાંઠની મહાઆરતી સાથે ઉજવણી

હરેશ જોષી, બગદાણા જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ બગદાણા ખાતે આ સંસ્થાની બહેનો દવારા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્રાદશી ના દિવસે મહા આરતી તેમજ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતુ અભિનય ગીત રજુ થયું હતું. સાથોસાથ આ પ્રસંગે 31 ડિસેમ્બરના વેસ્ટ્રન…

Read More

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન-પરિમલ નથવાણી

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ…

Read More

આજે 1 જાન્યુઆરી 2026થી ભાવનગર રેલવે મંડળ પર નવું સમયપત્રક લાગુ: ભાવનગર રેલવેના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવુ ટાઇમ ટેબલ

4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી અને 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી…

Read More

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારે વર્ષ 2025ના અંતિમ દિને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દેશના પ્રથમ હરોળના ઔદ્યોગિક એકમ રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અંબાણીએ આજરોજ વર્ષ 2025ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી…

Read More

મહેસાણા જિલ્લાનું કડી આપશે શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક – ” સફળતાની સફરે” – 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલનો અનોખો અધ્યાય

હરેશ જોષી, મહેસાણાઆઝાદી પૂર્વે 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિ. મહેસાણાના પૂર્વ આચાર્યશ્રી ફુલજીભાઈના [ વર્ષ 1995થી 2008 ] સમય દરમિયાન, સર્વ વિદ્યાલયની સમગ્ર ટીમ મારફત થયેલ કાર્યની રસપ્રદ વિગતોની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખાયલ છે.256 પૃષ્ઠનું આ પુસ્તક શતાબ્દિ પહેલાં જેમણે સંસ્થાની સ્થાપના કરી એ આદ્યસ્થાપક આ.છગનભા તથા જેમણે સંસ્થાને વૈશ્વિક…

Read More

ખંભાતમાં બ્લોક કક્ષાએ “નિપુણ ભારત” અંતર્ગત વાર્તાકથન, લેખન સ્પર્ધા યોજાઈ : કણજટ પ્રા. શાળાની 5માં ધોરણની છાત્રા નિરાલી ઠાકોર તાલુકામાં પ્રથમ

હરેશ જોષી, ખંભાત શક્કરપુર બીઆરસી ભવન ખંભાત ખાતે બ્લોક કક્ષાનો નિપુણ ભારત અંતર્ગત વાર્તા કથન સ્પર્ધા તથા વાર્તા લેખન સ્પર્ધા 2025 બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ત્રણથી પાંચની બાળ વાર્તા કથન સ્પર્ધામાં કાણીસા ક્લસ્ટરની કણજટ પ્રાથમિક શાળા તાલુકો ખંભાત જીલ્લો આણંદમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી નિરાલીબેન મનહરભાઈ ઠાકોર જે બાળકી એ પોતાની…

Read More

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વાતાવરણ પલટાયું: વરસાદનાં અમીછાંટણા

– વાતાવરણ ઠંડુ બની રહેતા જનજીવન પ્રભાવિત – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક સ્થળોએ અમીછાંટણા સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે.         હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં…

Read More

ઓખા ખાતે ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫        દરિયાઈ સુરક્ષા અને કુદરતી સહિતની આપદાઓમાં સાગરખેડૂઓને સલામતી જળવાઈ તે માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે જિલ્લા વહીવટી તંત્ર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ઓખાના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.     આ કાર્યક્રમમાં જિલ્લા…

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. 1.58 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫      ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદા જુદા આસામીઓને ગુમ થયેલી ચીજ વસ્તુઓ તેમજ ચોરી થયેલા સામાન, મોબાઈલ ફોનને શોધીને તેના મૂળ માલિકને પરત મળી રહે તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…

Read More