રાત્રિના સમયે પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાત્રિના સમયે અહીં રહેલા જુદા જુદા પાંચ […]
Tag: #jamkhambhaliya
ખંભાળિયામાં લેબોરેટરી ટેક્નિશયનોના પ્રશ્નો સંદર્ભે અધિકારીઓને આવેદન અપાયું
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત આરોગ્યની શાખા હસ્તકના લેબોરેટરી ટેક્નિશયન મંડળ દ્વારા ગઈકાલે ગુરુવારે રાજ્ય સરકાર કક્ષાએ પડતર પ્રશ્નો જેવા કે પગાર વિસંગતતા, 130 દિવસનો કોરોના સમયનું ભથ્થું તથા વહીવટી પ્રશ્નો માટે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશયન (પેથોલોજી) મહા મંડળએ નક્કી કરેલા કાર્યક્રમના ભાગરૂપે રાજ્યના પ્રત્યેક જિલ્લા તંત્રને આવેદન આપવાનું […]
ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે મેગા નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા દાતા અરવિંદભાઈ શાહ […]
સલાયામાં આપનું ઝાડું ફરી વળ્યું: પ્રથમ વખત મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યું
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામની નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે ભાજપનું અને એ.આઈ.એમ.આઈ.એમ.નું પણ ખાતું પણ ખૂલ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાના વોર્ડ નંબર એકને ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં હિન્દુ વિસ્તાર વધારે છે […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા : મામતોરા
મધુબેન (ઉ.વ. ૬૨) જામ ખંભાળિયા: મુકેશભાઈ મથુરાદાસ મામતોરા (ઉત્સવ સિલેકશન વારા) ના ધર્મપત્ની મધુબેન (ઉ.વ. ૬૨) તે હિરેનભાઈ, મિરાબેન માનસેતા તેમજ તૃપ્તિબેન મદલાણીના માતુશ્રી તથા નિરૂભાઈ (આનંદ ડ્રેપર્સ)ના નાનાભાઈના પત્ની અને સ્વ. ભીખાલાલ નાથાલાલ સચદેવ (લાલપુર વાળા)ના પુત્રી તા. ૧૯ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તા. […]
ભરાણા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા આસામીના રહેણાંક મકાનમાં ઘરફોડી
જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા આબેદિનભાઈ નજીરભાઈ પીરજાદા નામના 31 વર્ષના યુવાન ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગે તેમના મકાનને બંધ કરી અને ગયા હતા. ત્યારે આશરે ત્રણેક કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો. અહીં […]
મીઠાપુરમાં બે સ્થળોએ જુગાર દરોડામાં પાંચ મહિલાઓ સહિત સાત ઝડપાયા
જામ ખંભાળિયા મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં આવેલા એક તળાવ પાસે બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મંગુબેન નાગસીભાઈ ચમડિયા, સુધાબેન બાલુભાઈ ચૌહાણ, વાલબાઈ રામભા માણેક, રાજુબેન સુમલાભા હાથલ અને દિપાલીબેન મસરીભાઈ મકવાણાને પોલીસે ઝડપી લઇ રૂ. 3, 070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં પોલીસે સુરજકરાડી ગોડાઉન […]
દ્વારકામાં વિવિધ વિકાસકાર્યો માટે રૂા. 131.76 કરોડ ફાળવ્યા
– રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો નવો રીંગ રોડ મંજૂર – – પાલીકાની ચૂંટણી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીએ વિકાસનો ખોલ્યો પટારો – – દ્વારકા હોટલ એસોસીએશને મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૩૦૨૫ દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી રવિવારે પૂર્ણ થયાની સાથે જ રાજ્યના […]
શુભ વિવાહ :: ચિ. રિધ્ધી * કિશન :: ખંભાળિયાના ઘાવડા પરિવારના દ્વારે લગ્નોત્સવ
જામ ખંભાળિયા જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. સીમાબેન તથા શ્રી વનરાજભાઈ માનસંગભાઈ ઘાવડાની સુપુત્રી તેમજ અગ્રણી ઉપેન્દ્રભાઈ માનસંગભાઈ ઘાવડાની ભત્રીજી ચિ. રિધ્ધીના શુભ લગ્ન કંચનપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી જેમલભાઈ મેરૂભાઈ ઢાંઢના સુપુત્ર ચિ. કિશન સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
શુભ વિવાહ ::: ચિ. રિધ્ધી * કિશન :: ખંભાળિયાના ઘાવડા પરિવારના દ્વારે લગ્નોત્સવ
જામ ખંભાળિયા જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી વનરાજભાઈ માનસંગભાઈ ઘાવડાની સુપુત્રી તેમજ અગ્રણી ઉપેન્દ્રભાઈ માનસંગભાઈ ઘાવડાની ભત્રીજી ચિ. રિધ્ધીના શુભ લગ્ન કંચનપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી જેમલભાઈ મેરૂભાઈ ઢાંઢના સુપુત્ર ચિ. કિશન સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
