જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)
Tag: #nature
ના, તમે નહીં ગણાઓ : રાજ્યમાં સંભવિત તા. 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
– રાજ્યમાં 16 મો સિંહ વસ્તી અંદાજ – – 11 જિલ્લાનો 35 હજાર ચો.કિ.મી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫ સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર […]
ભાણવડના ભેનકવડમાં ચડી આવ્યો મગર : રેસ્ક્યુ કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ભાણવડના વર્તું -2 નજીકના ભેનકવડ ગામમાં ગુરુવારે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આ મગરને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર તુરંત […]
હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, […]
બાવળિયાળી ઠાકરધામ : સંધ્યાનું સહજ સ્મિત
તસવીર સમાચાર બાવળિયાળી ભાલ પંથકમાં નાનકડું અને પ્રગતિશીલ સુંદર ગામ બાવળિયાળીમાં શ્રી નગા લાખા બાપુનાં સ્થાનમાં ધર્મોત્સવ યોજાયેલ છે. બાવળિયાળી ઠાકરધામમાં પુનઃ પ્રતિષ્ઠા અને ભાગવત કથા પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં છે. સુંદર સુશોભન અને ભવ્ય આયોજન થયું છે. આ ઉત્સવમાં વિદ્યુત સુશોભન તો ખરું જ પરંતુ પ્રકૃતિની કળા પણ નિહાળવા મળે છે. આ સ્થાનમાં […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાની મુલાકાત લીધી
વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે પ્રધાનમંત્રીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની તપાસ કરી. તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાતચીત કરી વનતારા પ્રધાનમંત્રીએ વનતારા ખાતે વન્યજીવન હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ જેમાં MRI, CT સ્કેન, ICU વગેરે સુવિધાઓ છે. આ ઉપરાંત, […]
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથીવધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમસૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમેઅભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે […]
ભાણવડના ત્રિવેણી નદી કાંઠાના વાડી વિસ્તારમાં ચડી આવ્યો બાળ મગર : એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ ભાણવડના ત્રિવેણી નદી કાંઠે રાણપરડા પાટિયા નજીક એક વાડીમાં રાત્રીના સમયે એક મગરનું ત્રણ ફૂટ જેટલું નાનું બચ્ચું આવી જતા તે જોઈ વાડી માલિક ખૂબ અચંબિત થઈ ગયા હોય. આ પછી તેઓએ ભાણવડના પશુ સંરક્ષક અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તુરંત સ્થળ પર એનિમલ લવર્સના રેસક્યુઅર અને વન […]
કેશોદ ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બિલાડીને એનિમલ કેર સંસ્થાએ જીવતદાન આપ્યું
કૂવામાં સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા પશુ સેવા સંસ્થાને કરવામાં આવી હતી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે 90 ફૂટ ઊંડા એક કૂવામાં છેલ્લા સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં […]
ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર
(કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં તા. 13 ફેબ્રુઆરીના રોજ આ […]
