Headlines

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૬       રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનો હેતુ દરિયાઈ તેમ જ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ સંજોગોમાં દરિયાકિનારાના ગામોમાં રહેતા લોકો પણ…

Read More

ઓખા પોર્ટ વિસ્તારમાં રોડનું સમારકામ હાથ ધરાયું જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર- ગોપી તળાવ- ઓખા પોર્ટ રોડને જોડતા ભાગનું રિસરફેસીંગ કરવામાં આવી રહ્યું છે….

Read More

ઓખામાં પરપ્રાંતિય માછીમાર યુવાનનો આપઘાત

ઓખા         મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં રહેતા સંતોષભાઈ જેઠુભાઈ દદોડા નામના 45 વર્ષના મરાઠી માછીમાર યુવાને ઓખામાં જીલાની ફૂડ નામના દંગાના રૂમમાં આવેલા પંખાના હુકમાં બ્લેન્કેટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંદીપભાઈ દેવુભાઈ ફરલે ઓખા મરીન પોલીસને કરી છે. 

Read More

ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા        નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે…

Read More