Saturday June 21, 2025

કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.          આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી […]

ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ

પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું […]

સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫         છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો વિશે નિમ્ન કક્ષાની વાતો કરતા અનેક વિવાદોએ જન્મ લીધો છે. સનાતન ધર્મ વિશે ઘસાતું બોલાતા ફક્ત દ્વારકાના […]

ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની કૃતિ રજૂ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ખંભાળિયા ના રામનગર વિસ્તારમાં આવેલી પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ બેન્ડનો ડિસ્પ્લે રજૂ કર્યો હતો. જેમાં મુખ્ય અતિથિ શ્રી રવિન્દ્રસિંહ જાડેજા (એડિશનલ કલેકટર) તેમજ તેમના યોગા ટીચર અને હેલ્થ કોચ એવા તેમના ધર્મ પત્ની પ્રજ્ઞાબા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યા સંજયભાઈ નકુમ, અગ્રણી […]

ખંભાળિયાના કાઉન્સિલરના પુત્ર રિતેન ગોકાણી બન્યા એમબીબીએસ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા કેમિસ્ટ હિતેશભાઈ દ્વારકાદાસ ગોકાણીના સુપુત્ર રિતેન ગોકાણીએ તાજેતરમાં એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે.        ત્યારે ડો. રિતેન ગોકાણીને ખંભાળિયાના આગેવાનો, હોદ્દેદારો તેમજ રઘુવંશી જ્ઞાતિજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.  ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયા: આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે સરકાર દ્વારા લાલ આંખ

–  શરત ભંગ સબબ એક કર્મચારીને છૂટા કરાયા – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       સરકારની જુદી જુદી આરોગ્ય વિષયક યોજનાઓ અને કાર્યક્રમોમાં લાભો તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, સંવર્ગમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. […]

ખંભાળિયાની બદિયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્ર યજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫           ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ;સેવા સમિતિ સંચાલિત બદિયાણી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 ના રોજ નેત્ર નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.          યુ.કે. સ્થિત નિરંજનાબેન ચંદ્રવદન મોદી પરિવારના આર્થિક સહયોગી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની […]

રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ

– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫           સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ […]

રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરાયો

………………….અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ, નર્વસિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે – આરોગ્યમંત્રીશ્રી………………પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો છે………………-: આરોગ્યમંત્રીશ્રી :-  ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ […]

રેલવેની ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક […]

Back to Top