Saturday June 21, 2025

ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતીની તા. 10 ના રોજ થશે ભવ્ય ઉજવણી: આરતી, પાટોત્સવ, ધ્વજારોહણ, સન્માન સહિતના કાર્યક્રમો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા,     ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 10 ના રોજ સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ શ્રી વિશ્વકર્મા જયંતી ખુબ ધામધુમથી ઉજવવાની તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં મંગળા આરતી, પાટોત્સવ હવન, ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ મહાપ્રસાદ, વિદ્યાર્થી સન્માન, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન તથા […]

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના […]

ભાવનગર ખાતે રક્તપિત કોલોનીમાં ધાબળા વિતરણ કરતા રામકૃષ્ણ શાસ્ત્રી

હરેશ જોષી, ભાવનગર ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ મહાત્મા ગાંધી કોલોની ખાતે લોકસાધુ પૂ. રામકૃષ્ણ શાસ્ત્રી કૂંઢેલીવાળા હસ્તે પીડિતોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.આછવણી સ્થિત ઓમકારેશ્વર મહાદેવના ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા દ્વારા દાન આપવામાં આવ્યું હતું.આ સેવા કાર્યમાં પાર્થભાઈ જોશી, કાર્યકર રમેશભાઈ સોની વગેરે સાથે રહ્યા હતા.

પોરબંદરમાં રામ લખન સોસાયટીના સંચાલક ભરત ઓડેદરાના આપઘાતથી સન્નાટો

પોતાની ઓફિસમાં ઝેરી ઇન્જેક્શન લઈને આપઘાત કરી લેવા પાછળનું કારણ તપાસશે પોલીસ ઇન્જેક્શન પોતે જ લીધું છે કે પછી તેની પાછળ પણ કંઈક બીજું જ રહસ્ય છે તેની પણ થશે તપાસ છેલ્લા દિવસોમાં ભરતભાઈ લક્ઝરીયસ લાઇફ જીવતા હતા અને ધાર્મિક સ્થળોમાં દાનની સરવાણી પણ રહેતી હતી પોરબંદરપોરબંદરની રામ લખન સોસાયટીના સંચાલક એવા ભરતભાઈ વિજાભાઈ ઓડેદરાએ […]

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ

ખંભાળિયાના ક્ષત્રિય અગ્રણી તથા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના પતિદેવ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ એવા પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ છે.       તા. ૪-૨-૧૯૬૩ના રોજ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે જન્મેલા પ્રતાપસિંહ સિદુભા જાડેજા અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકયા છે. હાલમાં તેમના પુત્રવધૂ રિધ્ધીબા શકિતસિંહ જાડેજા જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે કાર્યરત […]

ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળાના સંસ્કૃત શિક્ષિકા ડો. રંજન જોષી નેશનલ કક્ષાએ ભાગ લેશે

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫         ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગૌરવશાળી શાળા એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક ડો. રંજનબેન જોષીએ સર્વ શિક્ષા અભિયાન અને એન.સી.ઈ.આર.ટી. આયોજિત ‘સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા નેશનલ કક્ષાએ દિલ્હી ભાગ લેવા […]

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાની લીટલ એન્જલ અન્યાનો આજે જન્મદિવસ

       જામ ખંભાળિયા : ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રવિભાઈ મેવાડાની લાડલી પુત્રી અન્યાનો આજે જન્મદિવસ છે. મમ્મી પારૂલબેન મેવાડાની વહાલી દીકરી અન્યાની કાલી-ઘેલી ભાષા સૌને મોહિત કરે છે. અન્યાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર ઉપર શુભકામનાઓ અને શુભાશિષ પાઠવવામાં આવી રહી છે. (ફોટો: કુંજન રાડિયા)

કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો

નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હરેશ જોષી, કેનેડાકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કેનેડામાં […]

અવસાન નોંધ : જામ ખંભાળિયા : સોમૈયા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. વલ્લભદાસ વિઠ્ઠલદાસ સોમૈયા (સોમૈયા નાસ્તા ભુવન વાળા)ના ધર્મપત્ની ગં સ્વ. મુક્તાબેન વલ્લભદાસ સોમૈયા (ઉ.વ. 78) તે સ્વ. ભાણજીભાઈ છગનલાલ તન્ના (સલાયા વારા)ના પુત્રી તથા કાંતિભાઈ, રજનીકાંતભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, સંજયભાઈ તથા ફાલ્ગુનભાઈના માતુશ્રી તારીખ 02-02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે.    સદગતની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 03-02-2025 ના રોજ […]

:: ચિ. હિરેન @ ચિ. હર્ષવી :: ખંભાળિયાના જાણીતા ઓઈલ મિલર પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી પરિવારના દ્વારે શરણાઈના સૂર

જામ ખંભાળિયા        ખંભાળિયાના જાણીતા દતાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દત્તાણીના પૌત્ર તેમજ આણંદના જાણીતા બિઝનેસમેન અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ ડેવલોપર્સ વારા શ્રી હિતેશભાઈ દત્તાણી અને અ.સૌ. ડિમ્પલબેન દત્તાણીના પુત્ર ચિ. હિરેનના શુભ લગ્ન અ.સૌ. ફાલ્ગુનીબેન તથા શ્રી સંદીપભાઈ પ્રવીણભાઈ દેસાઈની સુપુત્રી ચિ. હર્ષવી સાથે સોમવાર તારીખ 03-02-2025 ના શુભ દિને […]

Back to Top