શંભુ સિંહ, ભાવનગર
રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં વાણિજ્ય વિભાગ દ્વારા 28 જાન્યુઆરી 2026 થી 06 ફેબ્રુઆરી 2026 સુધી “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” નામનું વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.







આ અભિયાનનું શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા 28.01.2026 (બુધવાર)ના રોજ સાંજે 05.00 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે રેલ મુસાફરો સાથે સીધી વાતચીત કરી અને રેલવે દ્વારા કરવામાં આવતા સુધારાત્મક કાર્યો અંગે તેમની પ્રતિસાદ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો અને તેઓ રેલવેના કાર્યોથી સંતોષિત દેખાયા. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા સહિત ભાવનગર મંડળના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, રેલ મુસાફરો તથા મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમને સંબોધતા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ રેલ મુસાફરોને અપીલ કરી કે તેઓ RailOne એપ, ATVM અથવા બુકિંગ કાઉન્ટર પરથી ટિકિટ લઈને જ મુસાફરી કરે. RailOne એક ઓલ-ઇન-વન ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી મુસાફરો આરક્ષિત અને અનારક્ષિત ટિકિટ બુકિંગ, લાઇવ ટ્રેન સ્થિતિ, PNR માહિતી, ભોજન સેવા તથા મુસાફર સહાય જેવી અનેક સેવાઓનો એક જ સ્થળે લાભ મેળવી શકે છે. તેમણે જણાવ્યું કે ટિકિટ લઈને મુસાફરી કરવી માત્ર કાનૂની ફરજ નથી, પરંતુ તે વિકસિત ભારતના નિર્માણમાં નાગરિકોનું મહત્વપૂર્ણ યોગદાન પણ છે. તેમણે વધુમાં કહ્યું કે દેશના વિવિધ ભાગોમાં આધુનિક ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે, જે ભારતની પ્રગતિ અને ઓળખનું પ્રતિક છે. આ તમામ વિકાસમાં મુસાફરો દ્વારા ખરીદવામાં આવતી ટિકિટનું અમૂલ્ય યોગદાન છે. રેલ ટિકિટથી જ રેલ વ્યવસ્થા મજબૂત બને છે, ટ્રેનો વધુ સુરક્ષિત અને આધુનિક બને છે, મુસાફર સુવિધાઓમાં સુધારો થાય છે, રેલ નેટવર્કનો વિસ્તારો થાય છે અને સ્ટેશનોનું કાયાકલ્પ શક્ય બને છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. ભાવનગર મંડળના મુખ્ય ત્રણ સ્ટેશનો — ભાવનગર ટર્મિનસ, વેરાવળ અને જુનાગઢ પર આ અભિયાન ખાસ રીતે ચલાવવામાં આવશે. આ સ્ટેશનો પર જાગૃતિ સ્ટોલ સ્થાપવામાં આવ્યા છે, સેલ્ફી પોઇન્ટની સુવિધા ઉપલબ્ધ છે તેમજ બેનર અને પોસ્ટર દ્વારા મુસાફરોને સંદેશ આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત, નુક્કડ નાટક, વિડિયો સંદેશાઓ અને સોશિયલ મીડિયા મારફતે પણ રેલ મુસાફરોને ટિકિટ લઈને મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

