નામ બદલાવતી વીમા કંપનિએ ફરી એક વખત કલેઇમ ચુકવવા નનૈયો ભણતા અને નેશનલાઇઝ બેન્ક જવાબદારી નહી નિભાવતા ગ્રાહકે લીધા કાનૂની પગલા
પોરબંદર
છેલ્લા ધણા સમયથી જુદી જુદી વીમા કંપનિઓ વિમા પોલીસી ઉતારતી વખતે ખુબ જ ખોટા અને ભ્રામક પ્રચાર પ્રસારથી આકર્ષણ જમાવી ગ્રાહકોને ભોળવી ફોસલાવીને પોલીસીનુ વેચાણ કરી દીધા બાદ સમયાંતરે મસમોટુ વીમા પ્રિમિયમ પણ ગેરવ્યાજબી વેપારપ્રથા અપનાવી મેળવી લે છે. જે લાઇફ ઇન્સ્યોરન્સ હોય કે મેડીકલ ઇન્સ્યોરન્સ કે પછી જનરલ ઇન્સ્યોરન્સ તમામ વીમા કંપનિઓ એકસૂરે એક જ પધ્ધતિથી ગ્રાહક વીમેદારને છેતરતી આવે છે જે મુજબ પ્રિમિયમ વસુલી લીધા બાદ વીમા કલેઇમ સમયે અલગ અલગ ન્હાનાઓ કાઢી યેનકેન પ્રકારે કલેઇમ રીજેકટ કરી પૈસા ચુકવવાની આર્થિક જવાબદારી માંથી ખુબ જ આસાનીથી છટકી જાય છે. પરંતુ કયાંક કોઇક ખુણામાં બેઠેલો જાગૃત નાગરીક કાનૂનિ રાહ અપનાવી ન્યાયની માંગણી કરતા ખર્ચ વ્યાજ સહિત પુરેપુરી વીમાની રકમ મેળવી પણ લે છે. જે મુજબ ફરીથી એક આવો જ કિસ્સો બહાર આવ્યો છે.
પોરબંદર જિલ્લાના ટુકડા મીયાણી ગામ ખાતે આવેલ નેશનલાઇઝ બેન્ક એટલે કે બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ ખાતે વર્ષોથી ફરજો બજાવતા આવેલા કાયમી પ્રકારના કર્મચારી સ્વ. વિજયભાઇ પીઠાભાઇ રાઠોડને બેન્કે પોતાના તમામ કર્મચારીઓની જેમ જ તેઓનો તેમજ તેના પરિવારનો મેડી કલેઇમ કરી આપેલ હતો. જે લાંબા સમયથી આ પ્રોસેસ ચાલતી આવતી હતી. પરંતુ વાસ્તવીક રીતે જે મેડી કલેઇમ કરવામાં આવેલ તે વીમા કંપનિ નેશનલ ઇન્સ્યોરન્સ કાં. લી. રહેલ હતી જે કોઇ વિચારી પણ ન શકે અને લોકોને / વીમેદાર ગ્રાહકોને ગુમરાહ કરવાના ઇરાદાથી થોડા થોડા સમયે પોતાનુ નામ બદલી હાલનુ નામ એમ. ડી. ઇન્ડીયા હોક પ્રા. લી. જનરલ ઇન્સ્યોરન્સ કરેલ છે. જે વખતો વખત બદલતુ રહે છે. જેનો બેન્ક તથા વીમા કંપનિ ખોટી રીતે ગેરલાભ મેળવી આ વીમેદારની પોલીસી કરતા આવેલ હતા. જે પોલીસી સમય દરમ્યાન કર્મચારીને કેન્સરની બિમારી ડીટેકટ થતા લાંબી સારવાર બાદ તેનુ મૃત્યુ થયેલ. જે સારવારના ખર્ચ માટે તેના ધર્મપત્નીએ કલેઇમ કરતા રૂટીન પ્રોસેસ મુજબ વીના વ્યાજબી કે કાયદેસ૨ના કારણો વગર કલેઇમ રીજેકટ કરી નાંખતા આ જાગૃત ગૃહિણીએ તાત્કાલીક કાનૂનિ પગલા લઇ કલેઇમુ વળતર અપાવવા જાણીતા વકિલ વિજયકુમાર પંડયા મારફત વીમા કંપનિને તેમજ બેન્ક ઓફ બરોડાને લીગલ નોટિશ પાઠવી દિન-૩૦ માં વીમાની પુરેપુરી રકમ ચુકવી આપવા તાકીદ કરેલ છે. અને જો સમયસર ચુકવણુ નહી થાય તો કોર્ટમાં પણ ધસીટી જવાની પુરી તૈયારી બતાવેલ છે.