Saturday June 21, 2025

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની તમામ ખેત જણસને ટેકાના ભાવથી ખરીદવાની જાહેરાત

દેશના ખેડૂતોના હિતમાં લીધેલ કેન્દ્ર સરકારના નિર્ણયને ભાવનગર મહાનગર કિસાન મોરચાએ હરખભેર વધાવ્યો

પોરબંદર

ખેડૂતોના હિતને સર્વોપરી માનનાર ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈ મોદી સરકારે વધુ એક વાર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. ગત શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સંસદમાં જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માટે માત્ર ૨૨ મોટી જણસીઓ જ નહીં પણ ખેડૂતો પાસેથી નાનામાં નાની ખેત જણસીઓને પણ કેન્દ્ર સરકાર ટેકાના ભાવથી ખરીદશે. ભાવનગર શહેર ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ સોનાણી, મહામંત્રીઓ હરેશભાઇ વાળા અને પથુભા વાળા સહિત મોરચાના સૌ હોદ્દેદારોએ દેશના ખેડૂતોના હિતમાં લીધેલ કેન્દ્ર સરકારના આ નિર્ણયને હરખભેર વધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top