Saturday June 21, 2025

રેલ્વે લીલા, કપિ કૃપા: અમદાવાદમાં રાતનું સરખેજ દિવસે બની જાય છે “સરખજ”

અમદાવાદ

અમદાવાદમાં ભાવનગર ડિવિઝનમાં આવતા સરખેજ રેલવે સ્ટેશનની સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સુંદર બની જતા યાત્રીઓને ભારે સુવિધાઓ મળી રહી છે પરંતુ છેલ્લા દિવસોમાં સરખેજ રેલવે સ્ટેશનનું બિલ્ડીંગના ઉપરના ભાગે આવેલું બોર્ડ વાંદરાઓએ તોડી નાખ્યું છે અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયું છે તેના કારણે સરખેજના બદલે સરખજ વંચાઈ રહ્યું છે. સરખેજના ખ ઉપર આવેલી ઉપરની માત્રા ક્યાંક ઉડી ગયેલી જોવા મળી રહી છે. પરંતુ રાત્રે એ જ સરખો જ સરખેજ બની જાય છે કારણ કે વાંદરાએ અથવા તો કોઈ વાંધો રહે તેની એલઇડી લાઇટ અથવા તો નીઓન લાઇન તોડી નથી.
( તસવીર: ગિરીશ રઢુકીયા, અમદાવાદ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top