પરિણીત યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે ભેદભરમ: સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા તપાસ ચક્રો ગતિમાન
પોરબંદર
બોખીરામાં એક 21 વર્ષની યુવાન પરણીત મહિલાએ પોતાના ઘરે કોઈ ભેદી કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરમાં તા.૨૬/૧૨/૨૦૨૪ના ૩/૦૦ વાગ્યા પછી કોઇપણ સમયે બોખીરા રામકૃષ્ણ મિશનની બાજુમા એક રહેણાંક મકાંને બનેલી ઘટનામાં હિમીબેન અરજનભાઇ બાવનભાઇ કોડીયાતર (ઉં.વ. ૨૧ રહે.બોખીરા રામકૃષ્ણ મિશન પાસે પોરબંદર) નામની એક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતે પોતાની મેળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ઓફિસર હંસાબેને આ અંગે જરુરી કાગળો કર્યા હતા અને પોરબંદર સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબાએ તપાસ હાથ ધરી છે. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે આપઘાત કરનાર મહિલાના લગ્ન આજથી બે વર્ષ પહેલા થયા હતા. મરનાર મહિલાનું ડીડી લઈ શકાયું નથી. મરનારના પ્રિયરે આ અંગે જાણ કરવામાં આવી હતી.