Saturday June 21, 2025

પોરબંદરમાં રામટેકરી પાસે રીક્ષા ઊંધી વળી ગઈ: ડ્રાઇવરનું મોત

ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી પોતાનું જ મોત નિપજાવનાર સામે ઈજાગ્રસ્ત પેસેન્જરે ફરિયાદની પૂજાવી

પોરબંદર
પોરબંદરમાં રામટેકરી પાસે ડ્રાઇવરની ગફલતના કારણે એક રીક્ષા ઊંધી વળી ગઈ હતી અને તેમાં રીક્ષા ડ્રાઇવરનું પોતાનું જ મોત થયું હતું અને તેમાં બેઠેલ બોખીરાના એક આધેડને ઈજા થઈ હતી. આ ઇજાગ્રસ્ત આધેડે અકસ્માત સર્જી પોતાને ઇજા કરનાર અને પોતાનું મોત નીપજાવનાર રીક્ષા ડ્રાઇવર સામે એફઆઇઆર કરાવી છે. કમલાબાગ પોલીસ તપાસ કરે છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે અરજણભાઇ રાજાભાઇ ઓડેદરા (ઉ.વ.-૫૦ ધંધોમજુરી રહે,બોખીરા પોરબંદર)એ આ ઘટનામાં મરનાર જીતેન્દ્ર જયેન્દ્રભાઇ પારેખ (ઉ.વ.૫૨, રહે પોરબંદર કડીયા પ્લોટ) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીએ બેદરકારી અને ગફલત ભરી રીતે પોતાની રીક્ષા બેફીકરાઇ અને ગફલત ભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી રીક્ષાને પલ્ટી ખવડાવી ફરીયાદીને ઇજાઓ કરી તથા પોતાને ઇજા થતા પોતે મરણ ગયા છે. તા.૨૬/૧૨/૨૦૨૪, ૧૦/૩૦ વાગ્યે રામ ટેકરી પાસે પોરબંદર
ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ ) તથા એમ.વી.એક્ટ ૧૮૩, ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ થતા ફોજદાર કે જે બલદાણીયા એ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top