ઘટના માટે કોણ અથવા શું જવાબદાર છે તે અંગેની તપાસ પોરબંદર પોલીસની તપાસ શરુ
હેલિકોપ્ટરની ઉપયોગ પૂર્વેની ટેકનીકલ તપાસના અભાવે અથવા તો ટ્રેનિંગ દરમિયાન એક્સપર્ટ ટ્રેનિંગ ટ્રેનરના અભાવે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ વખતોવખત બનતી રહે છે
પોરબંદર
કોસ્ટ ગાર્ડમાં હેલિકોપ્ટરની ઉપયોગ પૂર્વેની ટેકનીકલ તપાસના અભાવે અથવા તો ટ્રેનિંગ દરમિયાન એક્સપર્ટ ટ્રેનિંગ ટ્રેનરના અભાવે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ વખતોવખત બનતી રહે છે ત્યારે આ પ્રકારે પોરબંદર એરપોર્ટ નજીક રેલવે પાસે વધુ એક હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું અને આ ઘટનામાં કોસ્ટ ગાર્ડના ત્રણ જવાનોના મોત થયા છે. આ ઘટના માટે કોણ અથવા શું જવાબદાર છે તે અંગેની તપાસ પોરબંદર પોલીસે હાથ ધરી છે ઉદ્યોગનગર થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદર એરપોર્ટમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર CG 859મા ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીર યાદવ, કમાન્ડન્ટ સૌરભ જ્ઞાનસિંહ અને પ્રધાન નાવિક મનોજકુમાર ટ્રેનીંગ શોર્ટી માટે સર્કિટ એરીયા પોરબંદર એરપોર્ટમાં ટ્રેનીંગ લેતા હતા, દરમ્યાન કોઈપણ કારણોસર અકસ્માતે ઉપરોક્ત નંબર વાળું હેલિકોપ્ટર ક્રેશ થતાં કોસ્ટગાર્ડના ત્રણેય જવાનો શરીરે થયેલ ગંભીર ઈજાઓથી મરણ ગયા હતા. તા.૫/૧/૨૦૨૫ ૧૨/૧૫ વાગ્યા દરમ્યાન પોરબંદર એરપોર્ટ, એ.ટી.સી.ની સામેના રન-વે ની બાજુમાં બનેલી આ ઘટના અંગે ડેપ્યુટી કમાન્ડન્ટ સ્પર્શ સંજીવ સૈની (ઉ.વ.૩૧ ધંધો:નોકરી હાલ રહે.ગાયત્રી હાઈટ્સ, નેશનલ હાઈવે સામે, ધરમપુર, પોરબંદર મુળ રહે. ઘરકરી ગામ, જી.કાંગડા, હિમાચલ પ્રદેશ)એ પોલીસને જાણ કરતાં ઉદ્યોગ નગર પીઆઇ આર એમ રાઠોડ એ તપાસ હાથ ધરી છે.
મૃતક જવાનોના પુરા નામ સરનામા
(૧) ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીર કુમાર યાદવ ઉ.વ.૩૩ પર્સનલ નં.૧૪૩૬ M હાલ રહે, કોસ્ટગાર્ડ રેસીડેન્સિયલ એરીયા, ધરમપુર, પોરબંદર મુળ રહે, એચ-૪૨૮ હરશનપુર ગામ, પોસ્ટ- નવબસ્તા, કાનપુર, દેહાત, ઉત્તર પ્રદેશ
(૨) કમાન્ડન્ટ સૌરભ સ./ઓફ. જ્ઞાનસિંહ ઉ.વ.૪૧ પર્સનલ નં.૦૭૩૫ S. હાલ રહે, કોસ્ટગાર્ડ રેસીડેન્સિયલ એરીયા, ધરમપુર, પોરબંદર મુળ રહે, ૪૨-૩એ. સાકેતનગર, ધુમનગંજ, અલાહાબાદ, ઉત્તર પ્રદેશ
(૩) પ્રધાન નાવિક મનોજકુમાર સ./ઓફ. રણવિરસિંઘ ઉ.વ.૨૮ પર્સનલ નં.૧૩૦૭૩ Q. હાલ રહે, કોસ્ટગાર્ડ રેસીડેન્સિયલ એરીયા, ધરમપુર, પોરબંદર મુળ રહે, મકાન નં.૨૨૪ મુન્દહેરા ગામ, ઝજ્જર, હરિયાણા


