સ્ટોલ સંચાલકોને જાહેરનામા અંગે જાગૃત કર્યા: નિયમોનો ભંગ થશે તો પોલીસને મજા નહીં આવે
પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના મુજબ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પી.આઈ આર.એમ.રાઠોડ તથા સર્વેલન્સ સ્કવોડના પોલીસ કર્મચારી સાથે મકરસક્રાતિના તહેવાર સબબ ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંતગના સ્ટોલના માલિક તથા સંચાલકોને ચાઇનીજ તુકકલ, નાયલોન અથવા અન્ય સીન્થેટીક માંઝા , સીન્થેટીક પદાર્થ થી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી /ચાઇનીઝ માંજા/નાયલોન/પ્લાસ્ટીકની દોરીઓ/કાચ પાયેલી દોરીઓ તથા અન્ય હાનીકારક પદાર્થો થી કોટીગ કરેલ દોરીઓનુ ઉત્પાદન સંગ્રહ વેચાણ તથા ઉપયોગ નહી કરવા મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જેના અનુસંધાને ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંતગ સ્ટોલોને ચેક કરવામાં આવેલ તેમજ ૧૦૦ નંબર પી.સી.આર વાહનમાં લાઉડ સ્પીકર દ્વારા જાહેર જનતાને જાહેરનામા અંગેની પ્રસિધ્ધિ કરી લોકોને જાગૃત કરવામાં આવેલ અને પંતગના સ્ટોલના માલિક તથા સંચાલકોને પોરબંદર જીલ્લા કલેકટરશ્રી દ્રારા બહાર પાડવામાં આવેલ મકરસક્રતિના તહેવારનુ જાહેરનામાનુ ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવી હતી.