લાલાભાઇ કારિયા, પોરબંદર
સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડા પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવાકાર્યો કરવામાં આવે છે.
ગૌમાતા અને શ્વાન માટે સેવાયજ્ઞ યોજાયો સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાઓ માટે પૌષ્ટિક આહાર અને શ્વાનોને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાઓ માટે પૌષ્ટિક આહાર ખોળ અને શ્વાનોને બિસ્કીટ ખવડાવામા આવ્યા સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે આ અમૂલ્ય સેવાને જોઈ ઈશ્વર પણ ચોક્કસ રાજી થઈને આ તમામ યુવાનો ઉપર આશિર્વાદ વરસાવતા હશે