પોરબંદર
ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા કુતિયાણાના મનીષભાઇ ભગવાનજીભાઇ ભટ્ટી (ઉ.વ.૪૦ ધંધો- ડ્રાઇવિંગ રહે.માંઝાપરા વિસ્તાર આવાસ બ્લોક કુતિયાણા)ને તેમના શેઠે પગાર ઓછો આપતા તેમણે ફિનાઈલ પી લીધું હતું. તેઓ અત્યારે દવાખાને સારવારમાં છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાસુભાઇ ભીખુભાઇ રાતિયા (રહે.કુતિયાણા)ના ટ્રકમા ડ્રાઇવર તરીકે કામ કરતા હોય અને વાસુભાઇએ ભોગબનનાર મનીષને તેના પગારના રૂપીયા ઓછા આપેલા હોય જેથી ભોગ બનનારને મનમા લાગી આવતા પોતાના રહેણાંક મકાને પોતાની મેળે ફીનાઇલ પી જતા સારવારમાં દાખલ થયા હતા. તા.૧૩/૧/૨૦૨૫ કલાક ૧૮/૩૦ વાગ્યા પછીના કોઇ પણ સમયે કુતિયાણા માંઝપરા વિસ્તાર ભોગબનનારના રહેણાંક મકાને બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં કુતિયાણા જમાદાર એ બી વરુ એ તપાસ હાથ ધરી છે.