Saturday June 21, 2025

ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન તેજ : 19મીએ મેઘાણી ઓડીટોરિયમમાં આંબેડકર વિચાર ગોષ્ઠી

ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા તા.૨૬ નવેમ્બર ૨૦૧૫ ના રોજ સમગ્ર દેશમાં પ્રથમ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ બંધારણ દિવસને અવસરે કહ્યું કે આપણું બંધારણ, આપણું વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક છે આજે દરેક દેશવાસીઓનું એક જ ધ્યેય છે “વિકસિત ભારતનું નિર્માણ”. બંધારણની ૭૫મી વર્ષની ગૌરવ યાત્રાને કાર્યકર્તાઓ દ્વારા જન-જન સુધી પહોચાડવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની નિર્દેશાનુસાર બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપા ભાવનગર દ્વારા તમામ તાલુકા મથક ઉપર તમામ મંડલોમાં નિબંધસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, બાબા સાહેબના જીવન ચરિત્ર અંગે વિચાર- ગોષ્ઠી કાર્યક્રમો તા. ૧૧/૦૧/૨૦૨૫ થી પ્રારંભ થયેલ છે. તા. ૧૯/૦૧/૨૦૨૫ રવિવારે સવારે ૧૦ થી ૨ બાબા સાહેબ આંબેડકરજી અંગે વિચાર ગોષ્ઠી ભાવનગર મેઘાણી ઓડિટોરિયમમાં રાખવામા આવેલ છે. આ બેઠકમાં પ્રદેશ તરફથી નિયુક્ત વક્તા ખાસ ઉપસ્થિત રહેશે. જિલ્લા ભાજપા પ્રમુખ આર.સી.મકવાણાની અધ્યક્ષતાંમાં આ કાર્યક્રમો તા.૧૧/૦૧/૨૦૨૫ થી ૨૬/૦૧/૨૦૨૫ સુધી અલગ-અલગ કાર્યક્રમો રાખવામા આવેલ છે. આ કાર્યક્રમોના ઇન્ચાર્જ રાજેશભાઈ ફાળકી, રાજુભાઇ બાબરીયા, મનહરભાઇ બલદાણિયા, પીટી રાઠોડ તેમજ ધર્મીષ્ઠાબેન ત્રિવેદી આ કાર્યક્રમો અંગે મોટી જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ જિલ્લા ભાજપા પ્રવકતા મીડિયા કન્વીનર કિશોરભાઇ ભટ્ટની અખબાર યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top