પોરબંદર
પોરબંદરના ટુકડા ગામની કરાર સીમમાં અકસ્માતે ઠેસ વાગવાથી પગ લપસતાં કૂવામાં પડી જતા એક મધ્ય પ્રદેશ વતની મજૂરનું ડૂબી જવાથી મોત થયું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા.૧૭/૧/૨૦૨૫ના કલાક ૨૧/૩૦ વાગ્યાના અરસામા ટુકડા ગામ (તા.જી.પોરબંદર) ભનાભાઇ દેવાભાઇ ઓડેદરાની વાડીએ કરાર સીમ વાડીના કુવામાં બનેલી આ ઘટનામાં અનીલ સંદીપ ભવરા (ઉ.વ.- ૨૨ ધંધો ખેતી રહે.હાલ. ભનાભાઇ દેવાભાઇ ઓડેદરાની વાડીએ, કરાર સીમ ટુકડા ગામ તા.જી.પોરબંદર મુળ રહે.- જીરામુડીશા ગામ જી.ખરગોન રાજય- મધ્યપ્રદેશ)ને પગમાં ઠેસ લાગતા ખેતરના કુવામાં પડી જવાથી પાણીમાં ડુબી જતા મરણ ગયેલ છે. આ અંગે તા 18 જાન્યુઆરીના રોજ દીનેશ સુખલાઇ ભીલાલે (ઉ.વ.૨૦ ધંધો.ખેત મજુરી રહે.ભનાભાઇ દેવાભાઇ ઓડેદરા ની વાડીયે કરાર સીમ ટુકડા ગામ તા.જી.પોરબંદર મુળ રહે ખરગોસ જીલ્લો)એ પોલીસને જાણ કરતાં બગવદર પીએસઆઇ એ એસ રાબાએ તપાસ હાથ ધરી છે.