કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫
ખંભાળિયામાં રહેતો જાગૃતીબેન નામની એક યુવતીના લગ્ન રાજકોટ ખાતે રહેતા ચિરાગ કિશોરભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ જાગૃતીબેન પોતાની મરજીથી પોતાના માવતરે આવી ગયા હતા અને ત્યાર બાદ સાસરીયાઓ સામે ખંભાળિયાની અદાલતમાં તેણીના પતિ તેમજ અન્ય પરિવારજનો સાથે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ મળવાના કાયદા હેઠળ અરજી કરવામાં આવી હતી. આ અરજી અહીંના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (શ્રી શુક્લા મેડમ) સાહેબની કોર્ટમાં ચાલી જતા સામાવાળાઓના પુરાવાઓ તેમજ તેમના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ અને અરજદારની અરજી મંજુર કરી હતી.
આ પ્રકરણમાં અરજદાર મહિલાની અગાઉની ભરણપોષણ મળવાની અરજી તથા સાસરિયાઓ સામે કરવામાં આવેલી સ્ત્રી અત્યાચારની ફરિયાદમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉપરાંત ભરણપોષણની અરજી પણ નામદાર કોર્ટે નામંજૂર કરી હતી.
આ બંને કેસમાં સામાવાળા તથા આરોપીઓ તરફે એડવોકેટ કે.પી. પરમાર તેમજ એન.એ. મુન્દ્રા રોકાયા હતા.