અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા પંથકના બોરાળા ગામ નજીક એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જાવેદભાઇ ગફારભાઇ શાહમદાર (ઉ.વ.૪૦ ઘઘો.વેપાર (ઇમીટેશન) રહે. બગસરા નદીપરા શાળા નં.૦૨ ની પાછળ તા. બગસરા જી.અમરેલી)એ મહીન્દ્રા કંપનીની વિરો ગાડી જેના આર.ટી.ઓ રજી નં.GJ-14-2-5865 ગાડીનો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદી તેમની મારુતિ સુઝુકી કંપનીની કાર નં.GJ-06- CB-3264 વાળી ઉભી રાખી માવો ખાવા માટે રોડની સાઇટમાં ઉભેલ હતા તે વખતે બોરાળા ગામ તરફથી એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની વિરો ગાડી રજી.નં.GJ-14-7-5865 વાળી ગાડીના ડ્રાઇવરે પુરઝડપે બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે ગાડી તરફ ચલાવી લઇ આવી ફોરવ્હીલ ગાડીના આગળના ભાગે રહેલ ઇલેકટ્રીક થાંભલા સાથે ભટકાવી થાંભલો ભાંગી નાખી ત્યારબાદ ફોરવ્હીલ ગાડીની માથે તેમની વિરો ગાડી આવવા દઇ ગાડીનો આગળનો કાચ બન્ને દરવાજા સાઇટના કાચ તેમજ બોનેટ બાજુનો ભાગ ભાંગી નાખી, ખડાધાર તરફથી આવતી લાલ કલરની હ્રોડા કંપનીની ડ્રીમ યુગા જેના રજી.નં.GJ-16-BL-7837 વાળીમાં સવાર બન્ને ઇસમો સાથે ભટકાવી તેમના શરીરે નાની/મોટી ઇજાઓ કરી તેમનું ધટના સ્થળે મોત નિપજાવી અન્ય એક ઇસમની મોટરસાયકલ હડફેટે લઇ તે ઇસમના શરીરે નાની મોટી ઇજાઓ કરી મહીન્દ્રા કંપનીની વિરો ગાડી રજી . નં.GJ-14-7-5865 વાળીના ડ્રાઇવરે મુકી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. બધા અંગે ખાંભા પોલીસમાં ગુનો દાખલ થતાં પીઆઇ આરજી ચૌહાણએ તપાસ હાથ ધરી છે
@@@