જામ ખંભાળિયા
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
મૃતક ભગુભાનો પુત્ર આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હોય, જેના કારણે તેઓ કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા. આ વચ્ચે એકલવાયું જીવન જીવતા ભગુભાને ચિંતાગ્રસ્ત હાલતમાં મનમાં લાગી આવતા તેમણે ઉપયોગ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ પ્રભાતસિંહ જીવુભા જાડેજા (ઉ.વ. 40) એ વાડીનાર મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી હતી.