
રાત્રિના સમયે પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫
ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાત્રિના સમયે અહીં રહેલા જુદા જુદા પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.

અહીં જે-તે કર્મચારી દ્વારા તેમના રહેણાંકમાં બધું વેર-વિખેર કરીને અહીં રાખવામાં આવેલા સોનાના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી થયાનું પણ બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હાલ શનિ-રવિની રજા જેવું હોવાથી કેટલાક કર્મચારીઓ બહાર ગામ ગયા હોય, પાછળથી તસ્કરો કળા કરી ગયા હોવાનું પણ કહેવાય છે. ત્યારે અહીં સીસી ટીવી કેમેરા કે કાયમી વોચમેન ન હોવાથી હાઈવે નજીકના નિર્જન જેવા વિસ્તારમાં આવેલા આ ક્વાર્ટર માટે તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરતા કરવામાં આવતા પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.








(ફોટો:- કુંજન રાડિયા)