
મૂકેશ પંડિત, બાવળિયાળી
શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫
સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગયો. મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં ધર્મોત્સવમાં દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ સાથે આજે ભરવાડ સમાજનાં બાળકો, યુવાનો અને આધેડ વૃધ્ધો મોજ સાથે લાકડી રાસમાં જોડાયાં. આગેવાનોની ઉપસ્થિતિ અને કલાકારોનાં રાસ ગાન અને ઢોલનાં તાલ સાથે લાકડીઓનાં રાસમાં સૌને ખૂબ જોમ રહ્યું.
