Saturday June 21, 2025

બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ

મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ

બાવળિયાળી, રવિવાર તા.૨૩-૩-૨૦૨૫
( મૂકેશ પંડિત )

સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિરમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં મોજ પડી ગઈ. ઠાકરધામમાં મહંત શ્રી રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ થઈ.

બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત શ્રી નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન, ભોજન અને ભાગવત કથાનો લાભ મળી ગયો. અહીંયા મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા,ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનાં ભવ્ય આયોજનમાં ભજન સંતવાણીનાં ત્રણ કાર્યક્રમો યોજાઈ ગયાં.

મહંત શ્રી રામબાપુનાં સાનિધ્યમાં શનિવાર તા.૧૫, સોમવાર તા.૧૭ તથા બુધવાર તા.૧૯ દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં.

શ્રી પોપટભાઈ માલધારીનાં પ્રભાવી સંચાલન સંકલન સાથે અહીંયા શ્રી પરષોત્તમપુરી ગોસ્વામી, શ્રી દેવાયતભાઈ ખવડ, શ્રી દીપાલીબેન ગઢવી, શ્રી માનસીબેન ભરવાડ, શ્રી હરસુખગિરી ગોસ્વામી, શ્રી માયાભાઈ આહિર, શ્રી ગોપાલભાઈ સાધુ, શ્રી પુરીબેન રબારી, શ્રી માયાબેન ભરવાડ, શ્રી રાજભા ગઢવી, શ્રી જીગ્નેશભાઈ બારોટ, શ્રી બિરજુભાઈ બારોટ, શ્રી દિવ્યાબેન ભરવાડ, શ્રીમિત્તલબેન રબારી, શ્રી રાજલબેન ભરવાડ સહિત નામી અનામી કલાકારો દ્વારા પોતાની ભજન, લોકગીત અને લોકસાહિત્યની સુંદર પ્રસ્તુતિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top