Saturday June 21, 2025

ખંભાળિયાની બદિયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્ર યજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫

          ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ;સેવા સમિતિ સંચાલિત બદિયાણી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 ના રોજ નેત્ર નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

         યુ.કે. સ્થિત નિરંજનાબેન ચંદ્રવદન મોદી પરિવારના આર્થિક સહયોગી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો તેમજ ટેક્નિશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ લઈ જઈ અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

         આ નેત્ર કેમ્પનો સવારે 9 થી 11:30 વાગ્યા સુધી લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને માનવસેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top