Friday June 20, 2025

ખંભાળિયાની શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું : ગ્રામજનો થયા મંત્રમુગ્ધ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫

      ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર સ્થિત શ્રી વી.એચ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને જામનગરના વતની નીલાબેન ચાવડા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા – જુદા પ્રોફેશનલી પેઇન્ટિંગસ તૈયાર કરે છે, અને તેઓની ટીમ દ્વારા જુદા – જુદા શહેરોમાં આવા ચિત્રોનું વિનામૂલ્યે એક્સિબ્યુશન પ્રદર્શન પણ કરાય છે.

       ત્યારે ગત તા. 2 અને 3 મે એમ કુલ બે દિવસ સુધી હર્ષદપુરની શ્રી નવીવાડી પ્રાથમિક શાળા ખાતે તેઓ દ્વારા તૈયાર કરાયેલા 42 જેટલા પેઇન્ટિંગસના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ચિત્ર પ્રદર્શનનો શુભારંભ હર્ષદપુરના અગ્રણી સંજયભાઈ નકુમ અને વી.એચ. હાઈસ્કૂલના આચાર્ય કે.ડી.ગોકાણી દ્વારા કરાયો હતો.

      આ બે દિવસ દરમિયાન હર્ષદપુર અને ખંભાળિયા વિસ્તારના વિધાર્થી, વાલીઓ અને ગ્રામજનોએ ચિત્ર પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. આ ચિત્ર પ્રદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ખાસ હાજર રહી, અને ટીમને પ્રોત્સાહિત કર્યા હતા.. સાથે નીલાબેન ચાવડા દ્વારા કેન્વાસ પર તૈયાર કરાયેલા પ્રોફેશનલી ચિત્ર નિહાળી સૌ મંત્ર-મુગ્ધ બન્યા હતા.

     આ ચિત્ર પ્રદર્શન કાર્યક્રમમાં નીલાબેન ચાવડા અને તેમના પરિવારજનો, વિજય હાઈસ્કૂલના સ્ટાફ મેમ્બર, નવીવાડી પ્રાથમિક શાળાનો સ્ટાફ, તેમજ નીલાબેન સાથે જામનગરના ચિત્રકારોની ટીમ પણ જોડાઈ હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top