Friday June 20, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જંતુનાશક દવા છંટકાવ કરાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫

      વર્ષ 2025 માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “Malaria ends with us: Reinvest, Reimagine, Reignite” (મેલેરિયા આપણી સાથે સમાપ્ત થાય છે: ફરીથી રોકાણ કરો, ફરીથી કલ્પના કરો, ફરીથી પ્રજવલિત કરો) થીમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.

       મેલેરિયા મુક્ત ગુજરાત અંતર્ગત જિલ્લામાં ગત વર્ષે જે ગામોમાં મેલરિયા કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે તે વિસ્તારો તથા સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ જે ગામોમાં API (Annual Parasite Incidence) એકથી વધારો નોંધાય ત્યારે તે ગામોમાં વાહકજન્ય રોગ અટકાયત કામગીરી અન્વયે જંતુનાશક દવા છંટકાવ (આલ્ફા સાયપર મેથ્રીન 5 %) ની કામગીરી કરાઈ હતી, જે અંતર્ગત જિલ્લામાં વર્ષ 2024ની મેલેરિયા કેસોની પરિસ્થિતિની સમીક્ષા કરતા 9 ગામોમાં આ કામગરી કરવામાં આવી છે. જેમાં કુલ 1771 ઘરોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરી 9935 વસ્તીને તેમાં આવરી લીધી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top