Friday June 20, 2025

હરિદ્વાર જનારા રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર: રેલવે પ્રશાસને મે મહિનામાં બ્લોકને કારણે રદ કરાયેલી ભાવનગર-હરિદ્વાર ટ્રેનને બદલાયેલા રૂટથી દોડાવવાનો નિર્ણય કર્યો

શંભુ સિંહ, ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે મે મહિનામાં ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, રેલવે પ્રશાસને હવે આ ટ્રેનને રદ […]

ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫            ગુજરાત સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દ્રષ્ટિહીન, આર્થિક રીતે નબળા અને મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સંપૂર્ણ માફ અથવા વિશેષ રાહત આપવામાં આવે છે. આ પહેલ સંગીતપ્રેમી વિદ્યાર્થીઓ માટે અવરોધમુક્ત શિક્ષણનો માર્ગ મોકળો કરશે અને ભારતીય શાસ્ત્રીય સંગીતની સુગંધ સમગ્ર […]

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અપાતા પુરસ્કાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારો માટે યાદી

– મહિલાઓ દ્વારા 17 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 2024-25 ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલા (ભાગ લીધેલા) મહિલા ખેલાડીઓ “મહિલા રોકડ […]

નવા રતનપરમાં દારૂના ધંધાર્થીએ બીજાની જમીન પોતાના નામે કરવા તલાટી મંત્રીને આપી ખૂનની ધમકી

પોતાના બે પુત્રો સાથે પંચાયત ઓફિસે ઘસી આવેલા પ્રવીણ ઘેલા સામે ફરજમાં રૂકાવટ સહિતના મામલે પોલીસ ફરિયાદ જાહેર કરતા તલાટી મંત્રી દલસુખ જાની ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામે વર્ષોથી દારૂના ધંધા માટે જાણીતા એવા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો તથા સાગરિતોએ નવારતનપર ગામની પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, ગામના જીવા રણછોડનો પ્લોટ પોતાના નામે […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેઠક યોજી યુ.સી.સી. અંગેના મંતવ્યો મેળવતા સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્યો

– સમાન નાગરિક સંહિતાની અમલવારી પૂર્વે લોકોના વિચારો જાણવા આવશ્યક: સી.એલ.મીણા –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૩૦૨૫        દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી. જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે યુ.સી.સી. (UCC) સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં […]

બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરીને દ્વારકા ઘૂસી આવેલી પાંચ બાંગ્લાદેશી મહીલાઓ ઝબ્બે

– એસ.ઓ.જી. પોલીસે સિલસિલા બંધ વિગતો મેળવી –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫      ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી […]

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના

– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫      (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને […]

ખંભાળિયા નગરપાલિકાની આજે સામાન્ય સભા: બજેટ, વિકાસ કાર્યો, કરવેરા સહિતના મુદ્દાઓ એજન્ડામાં

– –  જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આવતીકાલે ગુરુવાર તા. 13 ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.      આ બેઠકમાં આગામી વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવા, પાલિકાના બાકી વીજ બિલની રકમ ચૂકવવા, નગરપાલિકાના વિવિધ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાની મુલાકાત લીધી

વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે પ્રધાનમંત્રીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની તપાસ કરી. તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાતચીત કરી વનતારા પ્રધાનમંત્રીએ વનતારા ખાતે વન્યજીવન હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ જેમાં MRI, CT સ્કેન, ICU વગેરે સુવિધાઓ છે. આ ઉપરાંત, […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં […]

Back to Top