Headlines

નવા રતનપરમાં “કાળા ચૌદશિયા”ઓના ઈશારે શાસન ચલાવતી સરપંચ-ઉપસરપંચની ગેંગ??? : સરકારનો વર્ક ઓર્ડર નીકળવા છતાં દલિત સ્મશાનનું કામ અટકાવતી પંચાયત બોડી: પંચાયત સામે થશે આંદોલન !!!

નારન બારૈયા, નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ દલિત હોવા છતાં તે નામના જ સરપંચ છે. કેટલાક કાળા ચૌદશિયાના ઇશારે કામ કરી રહ્યા હોય તે રીતે દલિત સરપંચ બારૈયા અને ઉપસરપંચ બારૈયા તથા તેમની બોડી 2024માં વર્ક ઓર્ડર નીકળી જવા છતાં ગામના દલિત સ્મશાનનું કામ થતું અટકાવી રહી છે. આ રીતે પંચાયત પોતે જ…

Read More

નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજ ઉજવાતી “મન-તેરસ”: નિયમોને નેવે મૂકીને મન ફાવે તેમ ગ્રાન્ટો વાપરવાના આયોજનો

નારન બારૈયા નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ચૂંટણી બાદ તાજેતરમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત બોડીમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજે રોજ “મન તેરસ” ઉજવાઇ રહી છે એટલે કે જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને ગ્રાન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા એ ગામમાં જોર પકડ્યું છે. જે ગ્રાન્ટ જ્યા વપરાવી જોઈએ ત્યાં વાપરવાને બદલે તેનો…

Read More

ઘોઘા-કુડા રોડ પર કાર-બાઈકની ટક્કર: એક ઘાયલ

નવારતનપરભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના…

Read More

શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા આયોજિત “જ્યોતિ કળશ યાત્રા” નું ભાવનગર પંથકમાં પરિભ્રમણ

દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા…

Read More

ભાવનગરના પૂર્ણિમા સ્ટુડિયોવાળા શરદભાઈ પુરોહિતની સફળ દાંપત્યની ગોલ્ડન જયુબીલી

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૩ભાવનગરના જાણીતા પૂર્ણિમા સ્ટુડિયો ચલાવતા અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિવૃત્ત કર્મચારી શરદભાઈ પુરોહિત અને પન્નાબેન પુરોહિત (નિવૃત્ત શિક્ષિકા પાલીતાણા ગર્લ્સ હાઇસ્કુલ) તા. 23 મે ના રોજ સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શિક્ષિત, સંસ્કારકારી આ આ દંપતીને ગોલ્ડન મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પ્રાપ્ત…

Read More

ભાવનગરના દેવગાણાનો જવાન નકસલવાદી હુમલામાં શહીદ

વિપુલ હિરાણી, ભાવનગર તા.23 છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન ભાવનગરના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.  ભાવનગર…

Read More

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલના ખેડુતના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા

હરેશ જોષી, રોયલ તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલ ગામના ખેડુત મુકેશભાઈના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા છે.

Read More

પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?

GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક…

Read More

ભાવનગરમાં શનિવારે યશવંતરાય નાટ્યગૃહ યોજાશે “બરસાત મેં તાક ધીનાં…..ધીન”…. શંકર-જયકીશનનાં સદાબહાર ગીતોનો કાર્યક્રમ

મૂકેશ પંડિત, ભાવનગર તા ૧૦-૫-૨૫ને શનિવારના રોજ ભાવેણાની લોકપ્રિય ક્લાસંસ્થા કલાપથ પ્રસ્તુત મહાન સંગીતકાર શંકર-જયકિશનના સદાબહાર ગીતોનો કાર્યક્રમબરસાતમે તાક ધીનાં… ધીન… યશવંતરાય નાટ્યગૃહમાં શંકર-જયકીશનના “ચાહકો”માટે રાત્રે ૮-૩૦( સાડા આઠ) વાગે નિઃશુલ્ક યોજાશે જેમાં ગૌરવ પુરસ્કૃત ભુપેન્દ્ર વસાવડા(રાજકોટ), ભાવેણાનુ ઘરેણુ એવા લોકપ્રિય કલાકાર પ્રીતમ શાહ ઉપરાંત વીરેન્દ્ર મેર , હસમુખ દુધરેજીયા(રાજકોટ), ડૉ એન પી કુહાડીયા, ડૉ…

Read More

ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી

હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી…

Read More