Sunday June 22, 2025

કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ        મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશભાઈ ભાયલાભાઈ જમરા નામના 29 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનને નાનપણથી જ ચક્કર આવવાની બીમારી હોય, દરમ્યાન શનિવારે એક આસામીની વાડીમાં આવેલા કુવામાંથી પાણી ભરવા જતી વખતે તેમને ચક્કર […]

ખંભાળિયામાં આજે “મારા સપનાની ઉડાન”: મેગા એક્ઝિબિશનનું આયોજન

– મુંબઈના જયાબેન કુમળદાસ અમલાણી ચેરી. ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે આયોજન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં સૌ પ્રથમ વખત બહેનો દ્વારા “મારા સપનાની ઉડાન” મેગા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન આવતીકાલે રવિવારે કરવામાં આવ્યું છે.          મહિલા સશક્તિકરણને ઉજાગર કરતું મહિલાઓ દ્વારા વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને જાહેરાતનું આ […]

અવસાન નોંધ જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ અવસાન નોંધ જામ ખંભાળિયા : રાણાભાઈ જગમાલભાઈ સોલંકી (નિવૃત શિક્ષક) (ઉ.વ. ૮૫) તે અનિલભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, ધર્મેન્દ્ર સોલંકી તેમજ અ.સૌ. અલકાબેન નંદાણિયા, અ.સૌ. અંજુબેન ભાટિયા તેમજ અ.સૌ. અસ્મીતાબેન વારોતરીયાના પિતાશ્રી તેમજ દેવશીભાઈ સોલંકી, દેવાતભાઈ સોલંકી, હરદાસભાઈ સોલંકી (નિવૃત શિક્ષક) અને રામભાઈ સોલંકીના મોટાભાઈ તા. ૧૪ ના રોજ અવસાન પામ્યા છે. […]

દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદજીના પ્રયાસોથી ઝારખંડના 68 પરિવારના 200 લોકો મૂળ ધર્મમાં પાછા ફર્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫      દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી.               દ્વારકાના શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજના સાનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના […]

ખંભાળિયા નજીક બોલેરો અડફેટે રીક્ષાસવારનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫       ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 36 વી. 5520 નંબરના બોલેરો વાહનના ચાલકે આ માર્ગ પર માર્ગ પર જી.જે. 10 ટી.ડબલ્યુ. 3677 નંબરની એક વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. આ ટક્કરમાં […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા,

જામ ખંભાળિયા: અહીંના શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી સારસ્વત બ્રાહ્મણ શૈલેષભાઈ મનહરલાલ સેવક (બલભદ્ર) ના ધર્મ પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ સેવક (બલભદ્ર) તે હિરેનભાઈ, હેમાંશુભાઈ તથા શર્મિષ્ઠાબેનના માતુશ્રી તેમજ કિશોરભાઈ, રાજેશભાઈ અને હેમેન્દ્રભાઈના ભાભી તથા સ્વ. ઈન્દ્રજીતભાઈ ત્રિકમરાય રતેશ્વર, શૈલેશભાઈ ટી. રતેશ્વર અને સંધ્યાબેન ડી. ભટ્ટના નાનાબહેન તા. 14 ને ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા […]

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫          વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ […]

ખંભાળિયાના ડો. સોમાત ચેતરિયાએ 7 સમિટ્સ પૂર્ણ કર્યા:

– 7 સમિટ્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૫-૨૦૨૫        ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડો. સોમાત ચેતરિયાએ સપ્ટેમ્બર 2021 માં માઉન્ટ મનાસલું (જે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી ઊંચો પર્વત છે) સમિટ કરીને અત્યંત ઊંચા પર્વતારોહણની શરૂઆત કરી હતી. બાદમાં મે 2022 માં તેમણે માઉન્ટ એવરેસ્ટ (દુનિયાનો […]

મીઠાપુરમાં પરપ્રાંતિય યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫        ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા જગન ઉથારા મઢિયા નામના 49 યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મિલાપભાઈ રોહિતભાઈ ચંદારાણાએ મીઠાપુર પોલીસને કરી છે. ____________________________________________________________________________ ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર સ્ટંટબાજી કરતા શખ્સો સામે ગુનો          ખંભાળિયા દ્વારકા […]

ખંભાળિયા નજીક હાઇવે માર્ગ પર ઉપર ભયજનક સ્ટંટ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા

– ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું –  જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫           ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના દરવાજા ખોલીને ઇંગ્લેન્ડ જોખમી સ્ટંટ કરી રહ્યા હોવાના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા આ […]

Back to Top