Saturday June 21, 2025

ખંભાળિયાના જાણીતા સેવાભાવી કાર્યકર પરાગભાઈ તન્નાનું નિધન

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: જૂની પેઢીના વલ્લભદાસ રતનશી તન્ના મેડિકલ સ્ટોર વાળા સ્વ. પ્રભુદાસભાઈ તન્નાના સુપુત્ર પરાગભાઈ તન્ના (મેડિકલ વાળા, ઉ.વ. 60) તે સ્વ. સંજયભાઈના મોટાભાઈ તેમજ મુકેશભાઈ તન્નાના નાનાભાઈ મંગળવાર તારીખ 1 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 3 ના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો […]

દરેક યુવાએ ભગવાન અને સનાતન પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ: અનંત અંબાણી

– ખંભાળિયા નજીક પદયાત્રી અનંત અંબાણી દ્વારા પ્રેરક ઉદબોધન – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫        જામનગર તરફથી દ્વારકા સુધી ચાલીને નીકળેલા પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અનંત અંબાણીના સુપુત્ર અનંત અંબાણી હાલ ખંભાળિયા દ્વારકા – માર્ગ પર પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે તેમણે ખંભાળિયા નજીક મીડિયાને પ્રેરક ઉદબોધન કરી અને ભગવાન તેમજ […]

ખંભાળિયાના પ્રખ્યાત ગાયત્રી ગરબા મંડળ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળતા કેબિનેટ મંત્રી મુળુભાઈ

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં છેલ્લા આશરે ચારેક દાયકાથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગના અત્રે રામનાથ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” ના 120 મા એપિસોડને સામૂહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.       જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ […]

ખંભાળિયામાં રવિવારે રામનવમીની થશે ભવ્ય ઉજવણી

– પરંપરાગત શોભાયાત્રા સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫       મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન પર્વ રામનવમીની આગામી રવિવાર તારીખ 6 એપ્રિલના રોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે પરંપરાગત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે.           રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: અહીંના વિશ્વકર્મા એન્જી. કંપની તથા સરસ્વતી ગ્રુપવારા સુંદરજીભાઈ દેવજીભાઈ સુરેલીયા (મુળ ભાણખોખરીવારા) ના ધર્મપત્ની રમાબેન તે ચેતનભાઈ, સરોજબેન મુકેશકુમાર વડગામા (રાજકોટ) તથા અમિતાબેન મુકેશકુમાર બકરાણીયા (જામનગર) ના માતુશ્રી, વિણાબેનના સાસુ, સ્વ. ડાયાલાલ, સ્વ. ઓધવજીભાઈ અને સ્વ. બાબુલાલના ભાઈ વહુ તથા દિપ્તીબેન અને પરાગના દાદીમાં તેમજ શાંતિલાલ (જામનગર), મુકેશભાઈ, (પ્રમુખ, […]

સ્વામિનારાયણ પુસ્તકના કથનના વિરોધમાં દ્વારકામાં યોજાઈ મહાસભા

– બ્રાહ્મણો, વેપારીઓ, આગેવાનો દ્વારા આંદોલનના ભણકારા – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દ્વારકાની ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં આજરોજ સાંજે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસ્થાઓ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનોની એક મહાસભા યોજાઈ હતી. આ મહાસભામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રત્યે એક પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ શખ્સોને પાસા તળે જેલ હવાલે કરાયા

– એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સાબૂત બની રહે તે હેતુથી આ વિસ્તારના કહેવાતા માથાભારે શખ્સો, બુટલેગરો, જુગારીઓ, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ, વિગેરેની યાદી તૈયાર કરીને આવા તત્વોને શોધી કાઢી, કાયદા મુજબ કડક કામગીરી કરવામાં […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે શરતોને આધિન પ્રાંત અધિકારી અને […]

ભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫         ભાણવડમાં આવેલા સેવા સદન નજીકથી જી.જે. 10 એ.એસ. 5763 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઇશ્વરીયા ગામના રહીશ ભીમાભાઈ ભોજાભાઈ પિપરોતર નામના 70 વર્ષના સગર વૃધ્ધને એક અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને અડફેટે લીધા હતા. જેથી તેમને શરીરના જુદા જુદા […]

કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે તંત્રનું ડિમોલીશન: રહેણાંક પર ફર્યું બુલડોઝર

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભોગાત ગામે 14 વિઘા જેટલી જમીન માં રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે.      આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ અંગેના સરવે બાદ કલ્યાણપુર તાલુકા મામલતદારની […]

Back to Top