Headlines

કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી – ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માર્ગદર્શિકા જાહેર – જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫        હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવતીકાલે બુધવાર તા. 31 થી ગુરૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

Read More

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનું ઝળહળતું પગલું – જગત મંદિરને આકર્ષક લાઇટિંગ સાથે અનોખા શણગાર: રાત્રે પણ ધ્વજા અને મંદિરની દિવ્યતા જોઈ શકાશે

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને તંત્ર દ્વારા સુંદર અને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે ભક્તો રાત્રે પણ મંદિર અને ધ્વજાજીના દર્શન કરી શકશે.         આ અંગેની વિગત આપતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટના હિમાંશુ ચૌહાણએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ જગતમંદિરમાં અતૂટ શ્રદ્ધા…

Read More

ટીંબડીમાં કૂવો ગાળતા પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….

Read More

ખંભાળિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહની રંગેચંગે પૂર્ણાહુતિ

– મોટી સંખ્યામાં શ્રોતાઓ ભાવવિભોર બન્યા –  જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       ખંભાળિયાની સેવા સંસ્થા શ્રી ગાયત્રી સત્સંગ મંડળના ઉપક્રમે ગત રવિવાર તા. 21 થી શનિવાર તા. 27 સુધી અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં ગોકીબાઈ સ્કૂલ પાસે આવેલા બાલવી માતાજી મંદિર નજીક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ભાગવત કથાકાર…

Read More

આભાપરા ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જન્મજયંતીની ઉજવણી

જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકાના આભાપરા વિસ્તારમાં “બાપુની વાવ” ખાતે જન્મ જયંતિ પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.         ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર સ્થિત આભાપરામાં બાપુની વાવ ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમમાં પૂજ્ય બાપુની 162 મી જન્મ જયંતીના મંગલ પ્રસંગે ખંભાળિયાની શ્રી બરડાઈ બ્રાહ્મણ નાની નાતના પ્રમુખ…

Read More

માતા સાથેના ઝઘડાથી મનમાં લાગી આવતા ભાટિયાના મહિલાએ આપઘાત કર્યો

Kunjan Radiya જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ…

Read More

ખંભાળિયાની દાઉજીની હવેલીમાં આવતીકાલે નાવના દર્શન

– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫      ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read More

માંઝા ગામે કુવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલા માંઝા ગામે એક ખેડૂતના ખેતરમાં આશરે 70 ફૂટ જેટલા પાણી ભરેલા ઊંડા ખાડામાં બે દિવસથી એક શ્વાન પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ ધમા, કૃણાલ વાઘેલા અને વિશેષ દેસાણી આ સ્થળે દોડી…

Read More

ખંભાળિયા – જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫         ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.       આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક…

Read More