Headlines

અનંત અંબાણી દ્વારા “નિઃસ્વાર્થ અનંત સેવા” -રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા

– – અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના માટે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની વિના મૂલ્યે 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠકમાં વિવિધ વિગતો જાહેર કરાઈ

– જિલ્લામાં કુલ 4.51 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬       રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે. આગામી તા. 26 એપ્રિલના રોજ મતદાન તેમજ તા. 28…

Read More

ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો જામ ખંભાળિયા, તા. ૧૩-૦૪-૨૦૨૬        ખંભાળિયામાં અશોક મિલ કમ્પાઉન્ડ સામે આવેલા તુલસી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા હરદેવસિંહ સદુભાઈ જાડેજા નામના 33 વર્ષના યુવાન સામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને ખંભાળિયાની અદાલત દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા 2,00,000 ચૂકવવા માટેનો…

Read More

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં એનેસ્થેસિયાની કઠિન કામગીરી સફળતાપૂર્વક કરાઈ

– દર્દીને બેભાન કર્યા વગર નાક વાટે એનેસ્થેસિયા અપાયો – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬       ખંભાળિયા ની સરકારી સિવિલ હોસ્પિટલમાં મુખના ઓપરેશન માટે આવેલા એક યુવા દર્દીને એનેસ્થેસિયા આપવાની કોમ્પ્લીકેટેડ કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.         દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આજરોજ 23 વર્ષના એક…

Read More

અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રૂ. 30 કરોડનું અનુદાન

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂ. 30 કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.      ભગવાન દ્વારકાધીશ માં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી અખંડ ભક્તિ…

Read More

દ્વારકામાં ખાનગી કંપનીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ કુરંગાના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૪-૨૦૨૬        દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.         આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. એડમીન તરીકે ફરજ બજાવતા અને મૂળ…

Read More

ભરાણાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી નદી કાંઠે બાવળના ઝાડની ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ જગમાલજી રૂપસંગ…

Read More

પૂર્ણિમાના પાવન પર્વે “જય દ્વારકાધીશ”ના નાદ સાથે ભક્તોનું ધોડાપુર

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬     પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા 56 સીડી સ્વર્ગદ્વાર ખાતે ભક્તોનું માનવ મેળામાં ઉમટ્યું હતું.         પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો : જિ. પંચાયત, તા. પંચાયત સહિત 162 સીટ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬       સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો-દાવેદારો પણ હવે મેદાનમાં આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી…

Read More

કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતું ખનીજ ખનન ઝડપાયું: દરિયાઈ રેતી ભરેલા 10 ટ્રેક્ટર કબજે 

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામને ગૌશાળા પાસે કાચા રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ટ્રેક્ટર નીકળતા હોવાની…

Read More