Headlines

ખંભાળિયા પાલિકાની જગ્યામાં રહેલા મકાનમાં તોડપાડ ન કરવા અંગે વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની હદમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 5 માં આશરે 125 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘાર દ્વારા મકાન બનાવીને વર્ષ 1988-89 ની પહેલાની સાલથી તેમના પરિવાર સાથે રહેતા હતા. ઉપરોક્ત ચોક્કસ સર્વે નંબરની જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન…

Read More

ખંભાળિયા ધાર્મિક સેવા પ્રવૃત્તિ બદલ મહંતને સન્માનિત કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫  ખંભાળિયામાં છેલ્લા 35 વર્ષથી શ્રી મારુતિ રામધૂન મંડળ ચલાવતા સુરેશભાઈ મહંત અને ગ્રૂપ દ્વારા દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લ્યે છે. ત્યારે આજના આ પાવન પર્વે સુરેશભાઈ મહંતનું છબી અર્પણ કરીને ઉપરણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું….

Read More

ખંભાળિયામાં આવતીકાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫     બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં આવતીકાલે રવિવારે સવારે 9 થી 12:30 વાગ્યા સુધી અત્રે શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, ડિવાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ –…

Read More

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ: ડૉ.યશ તથા ડૉ. શિવાની હિન્ડોચા

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫         ખંભાળિયાની જૂની અને જાણીતી પેઢી ઠા. રણછોડદાસ કેશવજી હિંડોચા વારા સેવાભાવી એવા સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચાના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભારતીબેનના પુત્ર યશ તેમજ તેમની પુત્રી શિવાનીએ તાજેતરમાં લેવાયેલ એમ.બી.બી.એસ. તથા બી.એચ.એમ.એસ.ની પરીક્ષા રાજસ્થાનની અમેરિકન મેડીકલ કોલેજમાંથી અને બરોડાની મહાલક્ષ્મી મહિલા કોલેજમાંથી પ્રથમ પ્રયાસે અને ખૂબ સારી ટકાવારી સાથે…

Read More

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.       યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9…

Read More

ખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫      ખંભાળિયા નજીક પોરબંદર માર્ગ પર આવેલા પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી બાલનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી યોજાનારા આ પાઠના ધાર્મિક આયોજનમાં સહભાગી થવા સર્વે હનુમાન ભક્તોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો…

Read More

ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રીનો આજે હેપી બર્થ ડે

જામ ખંભાળિયા તા. ૧૨-૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા           ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર તેમજ શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રી નવ્યાનો આજે પાંચમો હેપી બર્થ ડે છે.      તારીખ 12-04-2020 ના રોજ જન્મેલી ચિ. નવ્યા તેના પપ્પા પાર્થ તન્ના (બન્ના ભાઈ) અને મમ્મીની લાડલી ઢીંગલી છે. નવ્યાને તેના મોટા પપ્પા શ્યામભાઈ તેમજ…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. લવજીભાઈ નાનાણીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 80) તે રમેશભાઈ નાનજીભાઈ અને મનસુખભાઈના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા 12 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે ખામનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું

– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત –  જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન…

Read More