Headlines

માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાના પાટોત્સવની વરલ ખાતે ભવ્ય ઉજવણી થશે : નારણદાસ બાપુના સાનિધ્યમાં બે દિવસીય ધાર્મિક મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના વરલ ખાતે સ્થિત કાળભૈરવ આશ્રમમાં માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. નારણદાસ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે નારણદાસ બાપુ અને કાળભૈરવ આશ્રમ ટ્રસ્ટ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે….

Read More

ઘોઘા ખાતે દેશભક્તિના માહોલમાં ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી, જેણે વાતાવરણમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,…

Read More

મારું નવું સંશોધન: હકીકતમાં અંગ્રેજોને ભારતે શાસક તરીકે ગુલામ બનાવ્યા હતા! અંગ્રેજો 15મી ઓગસ્ટે ભારતથી આઝાદી મેળવવામાં સફળ થયા!

પહેલી ધારની વાત હું સ્વતંત્રતા દિવસમાં માનતો નથી. આઝાદી દિવસ કદાચ ઇંગ્લેન્ડ ઉજવે તો મને વાંધો નથી.(એક સ્વ-ઘોષિત ઇતિહાસ સંશોધકની કબૂલાત)15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિવસ કહેવામાં આવે છે. કહેવાય છે કે 1947માં ભારતને આઝાદી મળી. પણ સવાલ એ છે કે — શેનાથી? કોનાથી? અને શા માટે આખો દેશ દર વર્ષે ધ્વજવંદન કરીને પોતાના જ ભૂતકાળને “ગુલામી”નું…

Read More

ગીરમાંથી સિંહ અને દીપડા મહેસૂલી વિસ્તારમાં આવતા ખેડૂતો અને માલધારીઓમાં ભારે રોષ

જંગલી પ્રાણીઓને જંગલમાં ખસેડવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહ, દીપડા, રોજ અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ રોજબરોજ મહેસૂલી વિસ્તાર અને ગામડાઓમાં ઘૂસીને કિંમતી પાલતું પશુઓ, ઘેટાં-બકરાં તેમજ નાના બાળકોને ફાડી ખાઈ રહ્યા છે, જેના…

Read More

ઘોઘા શહેર દેશભક્તિના રંગે રંગાયું: 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

ધ ગ્રેટ વર્લ્ડ, ​ઘોઘા સમગ્ર દેશ જ્યારે આઝાદીના પર્વ એટલે કે 15મી ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓમાં મગ્ન છે, ત્યારે ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર ઘોઘા શહેરમાં દેશભક્તિના માહોલ સાથે એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. 14 ઓગસ્ટ, 2026ના રોજ નીકળેલી આ યાત્રાએ સમગ્ર ઘોઘા શહેરને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું.​શહેર ગલીએ-ગલીએ દેશભક્તિના નાદથી ગુંજી…

Read More

ભાવનગરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે માયાબેન કોડનાણીનું ધારદાર વક્તવ્ય, પીપીટી પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત લોકો થયા ભાવુક

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર દેશ આઝાદ થયો તેના એક દિવસ અગાઉ ૧૪ ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્મૃતિ દિવસ મનાવવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. આ જ પરંપરાગત પ્રથા અનુસાર ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ અને શુક્રવારના રોજ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર કાર્યાલય ખાતે વિનાશક વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત એક વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના…

Read More

નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામ​લાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર

નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામ​લાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ (કર્ટસી: બુબુ વર્લ્ડ)​ભાવનગર જિલ્લાના નવારતનપર ગામે હાલમાં જ વિકાસના નામે સવાર થયેલા વિનાશ અને વહીવટી બેદરકારીનું એક મોટું ચિત્ર સામે આવ્યું છે….

Read More

ભાવનગરમાં ભારે વરસાદ વચ્ચે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અને માનવસેવા અભિયાન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના છેવાડાના વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા તદ્દન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગૌસેવા, માનવસેવા અને જીવદયાના ધ્યેય સાથે સતત કાર્યરત સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવા અર્થે વિશેષ અભિયાન હાથ ધરવામાં…

Read More

ઘોઘા પંથકમાં કૃષિ પૂર્વાનુમાન: આગામી સોમવારથી વરાપ નીકળતા ખેડૂતોને દવાનો છંટકાવ અને ખાતર વ્યવસ્થાપનમાં મળશે મોટી રાહત

ભેજનું પ્રમાણ ઘટતા સોમ-મંગળથી ખેતીકીય કાર્યો માટે ઉત્તમ સમય ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં પ્રવર્તમાન હવામાન અને ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અતિ મહત્વની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન પાકને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જો હવામાં…

Read More

ભાવનગરના ઘોઘા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આગામી ૨૪ કલાક ભારે વરસાદની ચેતવણી

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં આજે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આખો દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાન સમયમાં પંથકનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા જેટલું ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અને વર્તમાન…

Read More