Headlines

દેવળીયાના યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬        કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા મેરામણભાઈ ચનાભાઈ માડમ નામના 42 વર્ષના યુવાન ગુરુવારે રાત્રિના સમયે ગામની ગૌશાળા ખાતે સુવા ગયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રાજુભાઈ ચનાભાઈ માડમએ કલ્યાણપુર પોલીસને કરી છે.  _____________________________________________________________________________ પરવાનગી વગર…

Read More

ખંભાળિયા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       ખંભાળિયાના રહીશ અમિતકુમાર વિજયકુમાર ચોપડાએ અહીંની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી ભાવેશ પ્રવીણચંદ્ર મહેતા વિરુદ્ધ ચેક રિટર્ન સંદર્ભે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ કરી હતી.       આ અંગેનો ફોજદારી કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જે.જી. સોલંકી સમક્ષ ચાલી જતા આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન…

Read More

વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા ખંભાળિયામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

– ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬      ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના પ્રથમ હરોળના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા સ્થળોએ યોજવામાં આવેલા સામાજિક તેમજ ધાર્મિક…

Read More

ખંભાળિયામાં આંગણવાડી વર્કર મહિલા તથા પિતા પર હુમલો: મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા અમૃતબેન કારાભાઈ પારીયા નામના 26 વર્ષના મહિલા તથા તેણીના પિતા કારાભાઈને આ જ વિસ્તારમાં રહેતા રાણાભાઈ ગોરડીયા, ભરતભાઈ ગોરડીયા અને ગોપાલ રમેશભાઈ ગોરડીયાએ કોઈ કારણોસર લાકડી તથા બાવળના લાકડા વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો ભાંડી હતી….

Read More

દ્વારકામાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની ભવ્ય ઉજવણી

– સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રિવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થતા દ્વારકા ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન…

Read More

સલાયામાં અનઅધિકૃત રીતે ખનન કરેલી રેતીનો જથ્થો ઝડપાયો

– રૂ. 4.32 લાખની કિંમતની 216 ટન રેતી કબજે: એસઓજી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ રેતી ચોરી સામે પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસે સલાયા વિસ્તારમાંથી એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર કરીને રાખેલી રૂપિયા 4.32 લાખની કિંમતની અંદાજિત…

Read More

ખંભાળિયાના કંચનપુર ગામ અને સમસ્ત ઘાવડા પરિવારનું ગૌરવ કુ. ધર્મિષ્ઠા

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના ઘાવડા પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ ગામની દીકરી ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ ઘાવડાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધર્મિષ્ઠાબેનની આ સફળતા તેમના પરિવાર, ગામ તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. તેમની અથાગ મહેનત,…

Read More

ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે આવતીકાલે ઔધોગિક ભરતીમેળો

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે શુક્રવાર તા. 12 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા…

Read More

વાડીનારનો સજા વોરંટનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬      ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હુશેન તાલબ ભાયા નામના 35 વર્ષના શખ્સ સામે અહીંની ફેમિલી કોર્ટ દ્વારા કરવામાં આવેલા ભરણપોષણના આદેશ બાદ ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ જતા અદાલતે આરોપીને 180 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જેને અનુલક્ષીને વાડીનાર મરીન પોલીસ મથકના પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ દ્વારા…

Read More

ખંભાળિયામાં ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાન અને બોમ્બઈ સાપનું સફળ રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના 70 ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન પડી ગયો હોવાની જાણ સ્થાનિકો દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જાણ થતાં જ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.       આ…

Read More